વડોદરા: સોખડા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેમાં જે પિટિશન દાખલ કરવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુરુ હરીપ્રસાદ સ્વામીના નિધન બાદ ત્રણ વ્યક્તિઓ પ્રેમ હરિપ્રસાદ સ્વામી, જોઇન્ટ સેક્રેટરી જેએમ દવે સાધુ ત્યાગ વલ્લભ રોશની 10,000 કરોડની રૂપિયાની સંપતિ પચાવી પાડવાના પ્રયત્નો(Sokhada Haridham Vivad) કરી રહ્યા છે.
Vadodara Sokhada Controversy: સ્વામિનારાયણ મંદિરમાં 400 સાધુઓને રાખનારા 3 સાધુઓને હાઈકોર્ટેમાં હાજર થવાનો અપાયો હુકમ
વડોદરા હરિધામ સોખડાની 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ (Vadodara Sokhda Controversy) અને ગાદી વિવાદ હવે કોર્ટમાં પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ કોર્ટમાં પિટિશન(Habeas corpus petition in High Court) દાખલ કરી છે. ત્યારે 400થી વધુ સંતો અને હરિભક્તોને ગોંધી રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વિવાદ મામલે હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે.
હરિભક્તોને મંદિર જવા પર પ્રતિબંધ - સંપત્તિ પચાવી પાડવાના ભાગરૂપે રીધમ સંકુલમાં રહેતા તમામ હરિભક્તોના છેલ્લા ચાર મહિનાથી ભક્તોના(Sokhada Haridham Saints Controversy ) આવવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અહીં તેમના પાસપોર્ટ મોબાઈલ કેમેરા ત્રણેય વ્યક્તિઓ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ત્યાંથી ન અટકતાં જે હરિભક્તો સંકુલમાંથી બહાર જવા માંગતા હતા. તેમના અધિકારીઓ પણ જતા કરવાના સોગંદનામા પણ તેમણે કરાવવામાં આવ્યા હતા.
હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે -વડોદરાના સોખડા મંદિરના બળજબરીપૂર્વક સાધુઓ અને સાધ્વીઓને બંધક બનાવતાં હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી(Habeas corpus petition in High Court) દાખલ કરાઈ હતી. જેમાં વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ(Notice in Sokhada Haridham) મામલે હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે. સોખડા મંદિર ટ્રસ્ટના પ્રેસિડન્ટ અને ગુરુ સ્વામી હરિપ્રસાદજીનું નિધન થતાં મંદિરના વહીવટી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.