વડોદરાભારત દેશના નિર્માણમાં અનેક મહાપુરૂષોએ પોતાનું બલિદાન આપી દીધું છે. જોકે, હવે આ જ મહાપુરૂષોની પ્રતિમાની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન જોવા (A statues of great leaders) મળી રહ્યું છે. આવો જ એક નજારો જોવા મળ્યો છે વડોદરામાં.
મહાપુરૂષોની પ્રતિમા જાળવવામાં તંત્ર નિષ્ફળ અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સર સયાજીરાવજી અને પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાઓનો (fateh singh rao gaekwad) કલર ઊડી ગયો છે. તેમ છતાં તેમની પ્રતિમાનું કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કરવામાં આવતું. તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેર વસાવનારા એવા રાજવી પરિવારની પ્રતિમાઓની આવી દયનીય સ્થિતિ એ કેટલી યોગ્ય છે. તંત્ર આ બાબતે કોઈ કાળજી લે તે પ્રકારના પ્રયાસો હજી સુધી થયા નથી.
અયોગ્ય જાળવણીના કારણે પ્રતિમાઓના કલર ઊડી ગયામહાનગરપાલિકાની ઘોર બેદરકારીનાના (Failure of vadodara municipal corporation) કારણે મહાનુભાવોની પ્રતિમા હાલ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આ પ્રતિમાઓના કલરો ઉખડી જવા છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં તંત્ર ઊણું ઊતર્યું છે. શહેરને વસાવ્યું અને શહેરનું નામ ઉચ્ચસ્તરે લાવનારા મહાનુભાવોની જ પ્રતિમાની અયોગ્ય જાળવણી તે ભ્રષ્ટ તંત્રની પોલ ખોલે છે. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડની (sayajirao gaekwad vadodara) કાલાઘોડા સર્કલ પાસેની પ્રતિમાને કલર ઉખડી જતા તેમની પ્રતિમા દયનીય હાલતમાં જોવા મળી રહી છે.