ગુજરાત

gujarat

વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરનો આપઘાત

By

Published : Dec 9, 2020, 11:43 AM IST

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા પ્રોફેસરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. પોલીસ આ દિશામાં કામ કરી રહી છે.

વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરનો આપઘાત
વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરનો આપઘાત

સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરનો આપઘાત

  • મૃતક ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા
  • મૃતક પ્રોફેસરના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા

સુરતઃ સુરતના વેસુ રોડ પર આવેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમિસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે પોતાના જ ક્વાટર્સમાં આપઘાત કરી લીધો હતો. તેઓ ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓએ કવાર્ટસમાં જ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હોવાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતક પ્રોફેસરના થોડા સમય પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમ જ તેઓએ આ પગલું કેમ ભર્યું અને કોઈ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details