ગુજરાત

gujarat

સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા

By

Published : Dec 6, 2021, 7:05 AM IST

નવજોત સિદ્ધુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને શિક્ષકો સાથે ધરણા પર બેસી ગયા હતા. જે સંદર્ભે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે સિદ્ધુ અને તેમની પાર્ટી (Manish Sisodia on siddhu party) પંજાબમાં એક શિક્ષકને 6000 વેતન આપે છે, તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ.

સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા
સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા

  • મનીષ સિસોદિયાએ સુરત ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી
  • પિતા વિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્ન
  • સિદ્ધુની પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

સુરત: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા સુરત (Manish Sisodia in surat)ની મુલાકાતે હતા. પિતા વિહોણી 300 દીકરીઓના સમૂહ લગ્નમાં તેઓએ હાજરી આપી હતી. જ્યાં તેઓએ નવજોત સિદ્ધુ (Manish Sisodia on siddhu party) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને શિક્ષકો સાથે ધરણા (Siddhu protest at kejriwal home) પર બેસી ગયા હતા. જે સંદર્ભે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે સિદ્ધુ અને તેમની પાર્ટી પંજાબમાં એક શિક્ષકને 6000 વેતન આપે છે, તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ.

સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા

દિલ્હી સરકાર પાસે તમામ પર્યાપ્ત સુવિધાઓ

ઓમિક્રોન વેરિયન્ટને લઈ સિસોદીયાએ જણાવ્યું હતું કે, દેશભરમાં જે તૈયારીઓ ચાલી રહી છે, ઓમિક્રોન ફેલાય છે અને ફેલાશે એવું લાગી રહ્યું છે. અગાઉથી જબરદસ્ત તૈયારીઓ છે. અમે કમર કસીને મુકાબલો કરીશું. દિલ્હી સરકાર પાસે તમામ પર્યાપ્ત સુવિધાઓ છે.

આ પણ વાંચો:અરવલ્લીમાં નવજોત સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો

આ પણ વાંચો:'જો તમે મને નિર્ણય નહીં લેવા દો તો છોડીશ નહીં, ઇંટથી ઇંટ બજાવી દઇશઃ' પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ

ABOUT THE AUTHOR

...view details