ગુજરાત

gujarat

આગામી ત્રણ-ચાર દિવસની અંદર ભારત વેક્સિનેશનમાં 100 કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરશે: મનસુખ માંડવીયા

By

Published : Oct 15, 2021, 10:29 PM IST

ભારત 3- 4 દિવસની અંદર 100 કરોડથી વધુ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લેશે. આ અંગેની જાણકારી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સુરતમાં આપી છે.

Latest news of Surat
Latest news of Surat

  • પ્રથમ ડોઝ 18 વર્ષથી ઉપરના 75 ટકા લોકોને લાગી ચૂક્યો છે
  • બીજો ડોઝ પણ 30 ટકાથી વધારે લોકોને લાગી ચૂક્યો છે
  • કુલ મળીને 97 કરોડ ડોઝ લગાવી દેવામાં આવ્યા
  • નેઝલ વેક્સિન થર્ડ ટ્રાયલનો ડેટા સબમિટ થઈ રહ્યો છે

સુરત: દેશમાં આ દિવસોમાં કોરોના વેક્સિનેશન ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર વેક્સિનેશનના આંકડા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝ 18 વર્ષથી ઉપરના 75 ટકા લોકોને લાગી ચૂક્યો છે. આવી જ રીતે બીજો ડોઝ પણ 30 ટકાથી વધારે લોકોને લાગી ચૂક્યો છે. કુલ મળીને 97 કરોડ ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. આગામી ત્રણ- ચાર દિવસની અંદર ભારત સો કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરશે.

આગામી ત્રણ-ચાર દિવસની અંદર ભારત વેક્સિનેશનમાં 100 કરોડનો ઐતિહાસિક આંકડો પાર કરશે: મનસુખ માંડવીયા

વિશેષ કમિટીમાં એનાલિસિસ શરૂ: મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાના બાળકની વેક્સિનની કામગીરી શરૂ છે. હાલ ટેક્નિકલ કમીટીએ એપ્રુવલ આપ્યું છે. વિશેષ કમિટીમાં એનાલિસિસ શરૂ છે. નેઝલ વેક્સિન થર્ડ ટ્રાયલનો ડેટા સબમિટ થઈ રહ્યો છે. ડેટા હકારાત્મક હશે તો ટેક્નિકલ કમિટી નિર્ણય લેશે.

આ પણ વાંચો: કચ્છના શખ્સને વેકસીન,સર્ટિફિકેટ ભાવનગરના શખ્સના મોબાઈલ નંબરથી મળ્યું : આરોગ્યપ્રધાનને રાવ કરી

આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ

ABOUT THE AUTHOR

...view details