ગુજરાત

gujarat

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

By

Published : Mar 22, 2021, 2:03 PM IST

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસ માં વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે.

સુરત ટેક્સરાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો
સુરત ટેક્સરાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

  • સુરતમાં શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો
  • સંક્રમણને લઈને સુરતમાં પોસ્ટ દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો

સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી હતી. સોમવારે માર્કેટ શરૂ થતાં જ મનપા કમિશનર, મેયર અને કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ માટે મુકેલા સચિવ એમ. થેંનારસને માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હતું. સાથે જ અહીં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે. કેસો વધતા સુરતમાં રાત્રે 9થી 6 વાગ્યા સુધી કર્ફયુ પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બીજી તરફ વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં પોસ્ટ દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

સુરત ટેક્સરાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

આ પણ વાંચો:સુરતઃ પલસાણાના હેલ્થ વર્કર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું

મનપા દ્વારા અહીં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

સોમવારે કાપડ માર્કેટ શરૂ થતા જ મનપા કમિશનર બી. એન. પાની, મેયર હેમાલી બોઘાવાળા, કોરોનાની સ્થિતિને નિયંત્રણ માટે ખાસ નિયુક્ત અધિકારી એમ. થેંનારસન કાપડ માર્કેટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઈલ માર્કેટમાં વધુ કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈને મનપા દ્વારા અહીં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાએ હોટસ્પોટ વિસ્તારમાં લોકોને જાગૃત કરવા પોસ્ટર લગાવ્યાં

16થી 17 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવ્યું

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, માર્કેટમાં વેપારી અને શ્રમિકોમાં સંક્રમણ વધે નહીં તે માટે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.પહેલા માર્કેટમાં 1,700થી 1,800 ટેસ્ટિંગ થતા હતા. જે વધારીને હવે 3થી 4 હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સુરત શહેરમાં પહેલા 8,000 જેટલું ટેસ્ટિંગ થતું હતું જે વધારીને 16થી 17 હજાર જેટલું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોજના 20,000થી વધુ ટેસ્ટિંગ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિકો અને બહારથી આવતા વેપારીઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details