ગુજરાત

gujarat

'એક સે ભલે દો': રત્નકલાકારોને પૂરતું કામ ન મળતાં ગૃહિણીઓ 'મેદાને', આવક વધારવા કરે વિવિધ કાર્યો

By

Published : Sep 24, 2019, 2:15 PM IST

સુરતઃ આમ તો ડાયમંડ નગરી સુરત દેશ-વિદેશમાં હીરા માટે ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ હાલના સમયે સુરતનું હીરાબજાર મંદીના ભરડામાં સપડાયેલું છે. હીરાબજારમાં રત્ન-કલાકારો બેકાર થઈ રહ્યા છે તો ક્યાં તો પૂરતું કામ ન મળવું તે મંદી માટે કારણભૂત છે. મંદીના માહોલ વચ્ચે કામ કરતા રત્નકાલાકારોને પૂરતું કામ ન મળતા હવે ઘરની મહિલાઓ આગળ આવી છે. મહિલાઓ ઘરના સભ્યને આર્થિક મદદ મળી રહે અને ઘર ખર્ચ સહિતના ખર્ચાઓ કાઢવા માટે જોબવર્ક સહિતના કામો ઘરે બેઠા કરતા જોવા મળી રહી છે.

Housewife started job

સુરતનું હીરા બજાર છેલ્લા કેટલાક સમયથી મંદીમાં સપડાયું છે. સામાન્ય રીતે નાના ઉદ્યોગોથી લઈને મોટા ઉદ્યોગો પર મંદીની માર ન પડ્યો હોય કૂદકે ને ભુસકે વધી રહેલી મોંઘવારીની માર સામાન્યથી લઈ ગરીબ વર્ગના લોકોને પડી છે. ત્યારે સુરતના હીરા બજાર જે રત્નકલાકારો પર નિર્ભર કરે છે તેઓની હાલત દયનિય બની છે તેમજ નાના હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે જેના કારણે રત્નકલાકારોને પૂરતું કામ સુધા મળી રહ્યું નથી.

ડાયમંડ નગરી સુરત

એક સમયે જે રત્નકલાકારો બેગણો પગાર પાડતા હતા તેઓનો આજે અડધો પગાર પણ નથી મળી રહ્યો. જેના કારણે ઘરખર્ચ સહિતના ખર્ચા કાઢવા પણ રત્નકલાકારોને મુશ્કેલ પડી રહ્યું છે. રત્નકલાકારોને પડતી હાલાકી સામે હવે ઘરની મહિલાઓ જ આગળ આવી છે. મહિલાઓએ ઘરના સભ્યને તકલીફ ન પડે અને ઘરના ભાડા સહિત બાળકોના અભ્યાસ માટેનો ખર્ચ નીકળી જાય તેને લઈ ઘર બેઠા જ જોબવર્ક કરી રહી છે. સરથાણા સ્થિત પંચવટી સોસાયટીની મહિલાઓ પોતાના ઘટખર્ચ માટે આ પ્રયાસ કરી રહી છે.

સુરતના હીરા બજારમાં રત્નકલાકારોને પૂરતું કામ ન મળતા આપઘાત સુધીના પગલાં ભરી રહ્યા છે ત્યારે રત્નકલાકારોની ઘરની મહિલાઓ હવે આગળ આવી રહી છે અને ઘરખર્ચ કાઢવા માટે હાથ વટાવી રહી છે.

Intro:સુરત :આમ તો ડાયમંડ નગરી સુરત દેશ - વિદેશમાં માં હીરા માટે ખૂબ જ પ્રખ્યાત છે.પરંતુ આજે સુરત નો આ હીરા બજાર મંદી ના ભરડામાં સપડાયેલો છે.જેની પાછળ નું કારણ હીરા બજારમાં રત્ન- કલાકારો બેકાર થઈ રહ્યા છે ક્યાં તો પૂરતું કામ નથી મળી રહ્યું.આજ ની મોંઘવારી ના સમયમાં હીરા બજારમાં મંદીનો માહોલ છે ત્યારે હીરામાં કામ કરતા રત્નકાલાકારો ને પૂરતું કામ ન મળતા હવે ઘરની મહિલાઓ આગળ આવી છે.મહિલાઓ ઘરના સભ્યને આર્થિક મદદ મળી રહે અને ઘરખર્ચ, સહિતના ખર્ચ કાઢવા માટે જોબવર્ક સહિતના કામો ઘરે બેઠા કરતા જોવા મળી રહી છે.

Body:સુરતનો હીરા બજાર છેલ્લા કેટલાક સમયથી મંદી નો સામનો કરતું આવ્યું છે .સામાન્ય રીતે નાના - ઉદ્યોગો થી માંડી મોટા ઉદ્યોગો પર મંદી ની માર ના પડી હોય તે વાત નકારી શકાય નહીં.કૂદકે ને ભસુકે વધી રહેલી મોંઘવારી ની માર સામાન્ય થી લઈ ગરીબ વર્ગના લોકોને પડી છે.ત્યારે સુરતના હીરા બજાર જે રત્નકલાકારો પર નિર્ભર કરે છે તેઓની હાલત આજે દયનિય બની છે.આજે નાના હીરા ઉદ્યોગ ની સ્થિતિ કફોડી બની છે જેના કારણે રત્નકલાકારો ને પૂરતું કામ સુધા મળી રહ્યું નથી.એક સમયે જે રાત્મકલાકારો બેગણો પગાર પાડતા હતા તેઓનો આજે અડધો પગાર પણ નથી મળી રહ્યો .જેના કારણે ઘરખર્ચ સહિતના ખર્ચા કાઢવા પણ રત્નકલાકારો ને મુશ્કેલ પડી રહ્યું છે.રત્નકલાકારો ને પડતી હાલાકી સામે હવે ઘરની મહિલાઓ જ આગળ આવી છે.મહિલાઓએ ઘરના સભ્યને તકલીફ ન પડે અને ઘરના ભાડા સહિત બાળકોના અભ્યાસ માટેનો ખર્ચ નીકળી જાય તેને લઈ ઘર બેઠા જ જોબવર્ક કરી રહી છે.સરથાણા સ્થિત પંચવટી સોસાયટીની મહિલાઓ પોતાના ઘટખર્ચ માટે આ પ્રયાસ કરી રહી છે.

Conclusion:સુરત ના હીરા બજારમાં રત્નકલાકારો ને પૂરતું કામ ન મળતા આપઘાત સુધીના પગલાં ભરી રહ્યા છે.ત્યારે રત્નકલાકારો ની ઘરની મહિલાઓ હવે આગળ આવી રહી છે અને ઘરખર્ચ કાઢવા માટે હાથ વટાવી રહી છે.

બાઈટ :દક્ષાબેન

બાઈટ :નર્મતાબેન

ABOUT THE AUTHOR

...view details