ગુજરાત

gujarat

સુરત ફાયર વિભાગ દ્વારા 2 શોપિંગ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યા

By

Published : Mar 4, 2021, 12:18 PM IST

Updated : Mar 4, 2021, 3:35 PM IST

સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને જે લોકો પોતાના કોમ્પલેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ કે પછી કોલેજો હોય બધે જ ફાયર સેફટીને લઈને કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને જે લોકો ફાયર સેફટીને લઈને બેદરકારી રાખે છે તેમની શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવી રહ્યું છે.

સુરત ફાયર વિભાગ દ્વારા 2 શોપિંગ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યા
સુરત ફાયર વિભાગ દ્વારા 2 શોપિંગ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યા

  • સુરત ફાયર વિભાગની કમાગીરી
  • 2 શોપિંગ કોમ્પ્લેક્સને 3- 3 વખત નોટિસ આવામાં આવી હતી
  • રાજપોઈંટ અને રાજ ઓરિયન્ટ શોપિંગ કોમ્પેલેક્સને સીલ મારવામાં આવ્યું

સુરતઃ તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને જે લોકો પોતાના કોમ્પલેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ કે પછી કોલેજો હોય બધે જ ફાયર સેફટીને લઈને કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને જે લોકો ફાયર સેફટીને લઈને બેદરકારી રાખે છે તેમની શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવી રહ્યું છે. તેજ રીતે અડાજણ ફાયર વિભાગ દ્વારા અડાજણ અને રાંદેરની 2 શોપિંગ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે રાજપોઈંટ શોપિંગ કોમ્પ્લેક્સને 3 વાર નોટિસ આપવામાં આવી હતી. તેમાં 78 દુકાનો છે અને 3 હોસ્પિટલ છે. જોકે હોસ્પિટલમાં જ્યાં સુધી દર્દી છે ત્યાં સુધી સીલ નથી માર્યું પણ દર્દી ગયા બાદ સીલ મારવામાં આવશે અને રાજ ઓરિયન્ટ શોપિંગ કોમ્પલેક્સ છે જેમાં 25 દુકાન અને 1 હોસ્પિટલ છે. એક ક્લાસીસ પણ છે તેને પણ સીલ મારવામાં આવ્યું. આ કોમ્પલેક્સને પણ 3 વખત નોટિસ આપવમાં આવી હતી.

ફાયર સુવિધા અપૂરતી હોવાને કારણે કોમ્પલેક્સ સીલ કરાયા

સુરત અડાજણ ફાયર વિભાગ દ્વારા અડાજણ અને રાંદેરની 2 શોપિંગ કોમ્પ્લેક્સને ફાયરના સાધનોની અપૂર્તિ હોવાને કારણે સીલ મારવામાં આવ્યું હતું. જોકે ફાયર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે 3-3 વાર નોટિસ આપ્યા બાદ પણ ફાયરના સાધનો વસાવવામાં નહીં આવતા 2 કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃસુરતની 604 હોસ્પિટલમાં ફાયર NOC જ નથી, ફાયર વિભાગે લિસ્ટ કર્યું જાહેર

પાલનપુર જકાતનાકા પાસે આવેલ 2 શોપિંગ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યુંઃ અડાજણ ફાયર ઓફિસર

ફાયર ઓફિસર ઈશ્વર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે પાલનપુર જકાતનાકા પાસે આવેલ 2 શોપિંગ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે એમાંથી એક રાજપોઈંટ અને બીજી રાજ ઓરિયન્ટ શોપિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા. આ પહેલા આ 2 કોમ્પલેક્સને ફાયર સુવિધા સાધન વસાવવા માટે 3-3 વખત નોટિસ આપવામાં આવી હતી. જોકે આ લોકો દ્વારા ખાલી અમુક જ ફાયર સાધનો વસાવીને ફાયર NOC લીધી છે. પણ તે NOCમાં પણ બધાજ સાધનોનો ઉલ્લેખ છે પણ ત્યાં કોઈ સાધનો જોવા મળ્યા નહિ જેથી ફાયર વિભાગ દ્વારા તેને સીલ કરવામાં આવ્યા હતા. હવે પછી જો પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો હશે તો જ આ 2 શોપિંગ કોમ્પલેક્સમાં મારવામાં આવેલું સીલ ખોલવામાં આવશે.

Last Updated : Mar 4, 2021, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details