રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને સૌની યોજના મારફતે પત્ર લખીને પાણી આપવાની માગ કરી છે. જ્યારે આ પત્ર લખ્યા એના 10 દિવસ જેટલો સમય વીત્યો છતાં પણ સરકારમાંથી આ અંગેનો કોઈ જવાબ આવ્યો નથી. જ્યારે આગામી દિવસોમાં રાજકોટના જળાશયોમાં (Water shortage in Rajkot ) પાણી ખૂટી જશે. જેને લઈને મનપા તંત્ર આ મામલે ચિંતિત (RMC Letter to Government) બન્યું છે.
રૂપાણી સરકાર ગયા બાદ કોઈ ભાવ પૂછતું નથી
અગાઉ વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે ખૂદ મુખ્યપ્રધાન જ રાજકોટના હોઇ રાજકોટ શહેરને જે જોઈતું હોય તે માગણી મુજબ તાત્કાલિક મળી જતું હતું. જ્યારે રૂપાણી સરકાર સમયે શહેરમાં પાણીની સમસ્યા (Water shortage in Rajkot ) ઉભી થતી તો તે તાત્કાલિક સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી આપવામાં આવતું હતું. એવામાં હવે રૂપાણી સરકારના રાજીનામાં બાદ રાજકોટની પરિસ્થિતિ પણ કફોડી બની હોય તેમ મનપા દ્વારા પાણી માટે લખવામાં આવેલ પત્રનો કોઈ જવાબ (RMC Letter to Government ) પણ આવ્યો નથી.