ગુજરાત

gujarat

Covid Care Committee For Students: રાજકોટમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરાશે

By

Published : Dec 20, 2021, 1:47 PM IST

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (Swanirbhar School Board of Governors)દ્વારા વિવિધ શાળાઓમાં કોવિડ કેર સમિતિની (Covid Care Committee) રચના કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે (Rajkot private schools) આ કોવિડ કેર કમિટીમાં શાળાના આચાર્ય, વાલીઓ, તબીબ, સ્પોર્ટ્સ શિક્ષક સહિતના અંદાજીત 25 જેટલા સભ્યો હશે. આ કમિટી દ્વારા કોરોના અંગેની જાગૃતતા વિદ્યાર્થીઓમાં ફેલાવવામાં આવશે.

Kovid Care Committee For Students: રાજકોટમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરાશે
Kovid Care Committee For Students: રાજકોટમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરાશે

રાજકોટ:રાજકોટ શહેરમાં (corona case in rajkot) વિવિધ 4 જેટલી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ (corona positive student) અને શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા (students and teacher reported Corona positive) છે. હાલ શાળાઓમાં ઓફલાઇન (Rajkot private schools) શિક્ષણ કાર્ય શરૂ હોય અને વિદ્યાર્થીઓ અને શિક્ષક કોવિડ પોઝિટિવ અવતા શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

Kovid Care Committee For Students: રાજકોટમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરાશે

શાળાઓમાં કોવિડ કેર કમિટી બનાવવા આવશે

રાજકોટની શાળાઓમાં આ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી હતી, આ બેઠકમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિવિધ શાળાઓમાં કોવિડ કેર કમિટી (Covid Care Committee for Students) બનાવવા આવશે. આ કમિટીમાં ડોક્ટર, શાળાના સંચાલકો અને વાલીઓને પણ રાખવામાં (Covid Care Committee) આવશે. જેના કારણે આ પ્રકરની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે.

ડોક્ટર, આચાર્ય વાલીઓ સહિતના લોકો કમિટીમાં

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (Swanirbhar School Board of Governors) દ્વારા વિવિધ શાળાઓમાં કોવિડ કેર સમિતિની રચના કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ કોવિડ કેર કમિટીમાં શાળાના આચાર્ય, વાલીઓ, તબીબ, સ્પોર્ટ્સ શિક્ષક સહિતના અંદાજીત 25 જેટલા સભ્યો હશે. આ કમિટી દ્વારા શાળામાં વિદ્યાર્થીઓએ કેવી રીતે રહેવુ, અન્ય વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તન (health department gujarat) કરવું તેમજ કોવિડ અંગેની કેર કેવી રીતે રાખવી આ તમામ બાબતો અંગેની જાગૃતતા વિદ્યાર્થીઓમાં ફેલાવશે, જેના કારણે નાના વિદ્યાર્થીઓને પણ કોવિડ દરમિયાન કેવી રીતે વર્તન કરવું તે બાબતની સમજણ થશે.

4 જેટલી શાળામાં આવ્યા છે કોરોના પોઝિટિવ

રાજકોટમાં 2 દિવસ અગાઉ 4 જેટલી અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો છે, જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં પોઝિટિવ કેસ આવ્યા છે, તે શાળાઓને એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય જાહેર (Rajkot 4 Schools Close a week ) કરવામાં આવ્યો છે, આ સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની ટિમ (Rajkot DEO) દ્વારા સમયાંતરે વિવિધ શાળાઓમાં ચેકિંગ પણ કરવામાં આવશે અને જોશે કે શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય છે કે કેમ અને નહિ થતું હોય તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો:

RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ કરાયા

Rajkot 4 Schools Close a week : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના પોઝિટિવ, અઠવાડિયું બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details