ગુજરાત

gujarat

Corona Vaccination Mega Camp: ધોરાજીમાં લઘુમતી સમાજના લોકોએ ગેરમાન્યતા ભૂલી લીધી કોરોનાની વેક્સિન

By

Published : Nov 22, 2021, 11:20 AM IST

Corona Vaccination Mega Camp: ધોરાજીમાં લઘુમતી સમાજના લોકોએ ગેરમાન્યતા ભૂલી લીધી કોરોનાની વેક્સિન

રાજકોટના ધોરાજીમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination)નો આંક ખૂબ જ ઓછો હતો. કોરોનાની રસી અંગે ગેરમાન્યતા, અફવા અને ભયના કારણે લઘુમતી સમાજના (Minority society) લોકો કોરોનાની વેક્સિન (Corona Vaccine) નહતા લઈ રહ્યા. તેવામાં લઘુમતી સમાજના (Minority society) લોકોમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માટે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી (All Sunni Muslim Jamaat) કોરોના વેક્સિનેશન (Corona Vaccination)નો મેગા કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસી લીધી હતી.

  • રાજકોટના ધોરાજીમાં લઘુમતી સમાજે યોગ્યો કોરોના વેક્સિનનો મેગા કેમ્પ (Corona Vaccine Mega Camp)
  • કેમ્પમાં લોકો ગેરમાન્યતા, અફવા અને ભયને ભૂલીને વેક્સિન (Vaccine) લેવા પહોંચ્યા
  • સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના (All Sunni Muslim Jamaat) સહયોગથી યોજાયો મેગા કેમ્પ

રાજકોટઃ કોરોનાની વેક્સિન (Corona Vaccine) અંગે ગેરમાન્યતા, અફવા અને ભયના કારણે ધોરાજીમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination)નો આંક ખૂબ જ ઓછો હતો. ત્યારે અહીં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી (All Sunni Muslim Jamaat) કોરોના વેક્સિનેશન (Corona Vaccination)નો મેગા કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસી લીધી હતી. લોકોએ ગેરમાન્યતા, અફવા અને ભયને ભૂલીને કોરોનાની વેક્સિન (Corona Vaccine) લીધી હતી.

કેમ્પમાં લોકો ગેરમાન્યતા, અફવા અને ભયને ભૂલીને વેક્સિન (Vaccine) લેવા પહોંચ્યા

આ પણ વાંચો-રાજકોટમાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો માટે Vaccination camp યોજાયો

લઘુમતી સમાજને કોરોનાની વેક્સિનની કોઈ આડઅસર નથી તેની સમજણ અપાઈ

જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તાર અને લઘુમતી વિસ્તારમાં કોરોના વેક્સિનેશન ઓછું હતું. અહીંના લોકોમાં કોરોનાની વેક્સિન માટે જાગૃતતા નહતી અને અફવાઓ તેમ જ ભયના કારણે વેક્સિન લેવા ધોરાજીનો લઘુમતી સમાજ તૈયાર નહતો. તંત્રના અનેક પ્રયાસથી પણ સફળતા પ્રાપ્ત થઈ નહતી. ત્યારે રાજકોટ જિલ્લા આને તાલુકાની આરોગ્ય ટીમ તથા ધોરાજી મામલતદાર કચેરી, પ્રાન્ત કચેરી અને ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતની આ બાબતે બેઠક યોજાઈ હતી અને લઘુમતી સમાજમાં કોરોના વેક્સિનને (Corona Vaccine) અંગે જાગૃતિ આવે અને વેક્સિનનો ડોઝ લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમ જ વેક્સિનનો ડોઝ લેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય તેમ હોય અને ઘરે-ઘરે વેક્સિન અપાઈ તેવા આશયથી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ધોરાજીના (All Sunni Muslim Jamaat) સહયોગથી આ કોરોના વેક્સિનેશન મેગા કેમ્પનું (Corona Vaccination Mega Camp) આયોજન કરવામા આવ્યું હતું.

આ પણ વાંચો-ગાંધીનગરના કોર્પોરેશન અને જિલ્લાના 44 કેન્દ્ર પરથી 5,500 જેટલા વેપારીઓ માટે રવિવારે યોજાશે વેક્સિનેશન કેમ્પ

જિલ્લાના વહીવટી અને પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

આ કેમ્પમાં બહારપુરાના જૈનબ હોલ ખાતે રસીકરણ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. ધોરાજીના લઘુમતી સમાજના લોકોમાં વેક્સિનના ડોઝને લઈને જાગૃતિ આવી હતી અને લઘુમતી સમુદાયના બહેનો અને વડીલો તથા સમાજના અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓએ કોરોના વેક્સિન (Corona Vaccine) લીધી હતી. સાથે વેક્સિનની કોઈ આડઅસર ન હોવાની પણ સમજણ આપી હતી. તો આ કેમ્પમાં રાજકોટના જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ. ટીડીઓ, મામલતદાર તંત્ર, પ્રાન્ત અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, ધોરાજી પોલીસ તેમ જ ધોરાજી સુન્ની મુસ્લિમ જમાતના હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details