ગુજરાત

gujarat

Shravan Month 2022: બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપૂર

By

Published : Aug 8, 2022, 4:05 PM IST

Etv BharatShravan Month 2022: બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપૂર
Etv BharatShravan Month 2022: બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણ મહિનાના(Shravan Month 2022) બીજા સોમવારે સોમનાથ મહાદેવની ભક્તિ અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવ(Somnath Mahadev Temple) પહોંચ્યા હતા. આ સાથે સાથે ભક્તજનોમાં આ બીજા સોમવારે સોમનાથ મહાદેવના પવન માસ એટલે કે શ્રાવણ માસમાં દર્શન કરવાનો ઉત્સાહ ઉમંગ અનેરો જોવા મળી રહ્યો હતો.

જૂનાગઢ:શ્રાવણ મહિનાના(Shravan Month 2022) બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે.

વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો -આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા શિવ ભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે દર્શન કરવા માટે પધારી રહ્યા છે. જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવભક્તોમાં(Shravan Maa Shiv Bhakt) મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે. જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે .આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તોનો ધસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે. તે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે.

શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે

આ પણ વાંચો:Sravana 2022: શિવ ભક્તોનો મહેરામણ મંદિર પરિસરમાં ઉમટ્યો

સોમનાથ મહાદેવના દર્શન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી -શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવ્યું છે. પ્રથમ પહોરમાં મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તો આતુરતાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને બિલ્વપત્ર, આંકડો, પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી અર્પણ કરવા માટે જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લઈને સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતા જોવા મળશે.

આજે ભક્તોને એક સાથે બમણો આધ્યાત્મિક ફાયદો -શ્રાવણ માસ એક એવો માસ(Holiest Month of Hinduism) છે, જે મહાદેવને વિશેષ(Significance Shravan Month In Hinduism) રીતે પ્રિય છે. આ માસના દિવસોમાં મહાદેવના ભક્તો પર મહાદેવની વિશેષ કૃપા હોય છે. આ સાથે આ દિવસે એકાદશી પણ છે. જેથી ઉપવાસ રાખતા ભક્તોને એક સાથે બમણો આધ્યાત્મિક ફાયદો થશે. આજે શ્રાવણ પુત્રદા એકાદશી, જેને પવિત્રોપન એકાદશી અને પવિત્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક હિન્દુ પવિત્ર દિવસ છે, જે શ્રાવણના હિંદુ મહિનામાં વેક્સિંગ ચંદ્રના પખવાડિયાના 11મા ચંદ્ર દિવસ (એકાદશી) પર આવે છે. જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જુલાઈમાં આવે છે.

આ પણ વાંચો:Somnath Temple: સોમનાથ પ્રાતઃ આરતી દર્શન, 30-જુલાઈ-2022

શ્રાવણ પુત્રદા એકાદશી -આ દિવસને પૌષ (ડિસેમ્બર-જાન્યુઆરી)ની અન્ય પુત્રદા એકાદશીથી અલગ પાડવા માટે શ્રાવણ પુત્રદા એકાદશી(Shravan Putrada Ekadashi) તરીકે ઓળખવામાં આવે છે. જેને પૌષ પુત્રદા એકાદશી પણ કહેવાય છે. આ દિવસે, 24 કલાક ઉપવાસ રાખવામાં આવે છે. ખાસ કરીને પતિ અને પત્ની બંને દ્વારા ભગવાન વિષ્ણુને (અન્ય એકાદશીઓની જેમ) પૂજા કરવામાં આવે છે, જેમને લગ્ન પછી લાંબા સમય સુધી પુત્ર નથી, એક પુરુષ સંતાન થાય છે. આ દિવસે ખાસ કરીને વૈષ્ણવો, વિષ્ણુના અનુયાયીઓ દ્વારા મનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details