ગુજરાત

gujarat

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન, હરિભક્તો મોટી સંખ્યામાં રહ્યા હાજર

By

Published : Nov 15, 2020, 7:58 PM IST

દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં રવિવારે છપ્પનભોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ છપ્પનભોગની સાથે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. કોરોના સંક્રમણના કારણે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જોકે દિવાળીના દિવસે મંદિર ખોલવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન,
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન,

  • જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન
  • મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા ભગવાન સ્વામિનારાયણના દર્શન
  • 7 મહિના બાદ મંદિર સંપૂર્ણ ખોલતા હરિભક્તોનું ઘોડાપુર

જૂનાગઢઃ દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં રવિવારે છપ્પનભોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ છપ્પનભોગની સાથે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. કોરોના સંક્રમણના કારણે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બંધ જોવા મળતું હતું. ત્યારે દિવાળીના દિવસે મંદિર સંપૂર્ણપણે ખોલવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન,
મંદિર ખુલતા હરિભક્તોમાં હરખની હેલીકોરોના સંક્રમણને કારણે સ્વામિનારાયણ મંદિર પાછલા છ મહિના કરતાં વધુના સમયથી બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને મંદિર સંપૂર્ણપણે ખોલવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન સ્વામિનારાયણની આરતી સહિત છપ્પન ભોગના છ મહિના બાદ દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન,

મંદિરમાં પ્રવેશ માટે સેનેટાઈઝ થવું ફરજિયાત

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મંદિરમાં પ્રવેશ કરવા માટે દ્વાર પર સેનિટાઇઝર ટનલ બેસાડવામાં આવી છે. આ ટનલમાંં દરેક હરિભક્તોએ ફરજિયાત 6 સેકન્ડ સુધીનો વિશ્રામ કરીને ત્યાંથી પસાર થઈ મંદિર પરિસરમાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details