- હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે
- રાજ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા
- રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ બાળકોની સતત ચિંતા કરી રહી છે : ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર : શહેરની જિલ્લા પંચાયત કચેરી (District Panchayat Office) ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન (Minister of State) ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ (Virtual presence)માં જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ (Uniform distribution) નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની 309 આંગણવાડીઓના 5,041 તથા જિલ્લા પંચાયત હસ્તકની 888 આંગણવાડીઓના 19,848 બાળકો મળી સમગ્ર જિલ્લાના 3થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ (Uniform distribution) કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે 12 બાળકોને યુનિફોર્મ (Uniform) તથા હાઈજીન કીટ (Hygiene kit) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર જિલ્લામાં 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયા
આ પ્રસંગે રાજ્યપ્રધાન (Minister of State) ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણ (Uniform distribution)નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જામનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત (District Panchayat) હસ્તકની 888 તેમજ મહાનગરપાલિકા હસ્તકની 309 આંગણવાડીઓના 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ (Uniform distribution) કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.
આ પણ વાંચો : આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ