- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી બેઠક
- વાવઝોડામાં થયેલ નુકસાનની મદદ કરશે સરકાર
- ઝુંપડા અને મકાનમાં થયેલ નુકશાનમાં સહાય આપશે
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડાના પરિણામે નુકસાન પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.
શહેરી વિકાસ અને પંચાયત ગ્રામ વિકાસ વિભાગને કામગીરી સોંપાઈ
રાજ્યના શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લેવામાં આવી છે. જેથી સર્વે કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય. આ તૌકતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે સહાયના ધોરણ સીએમ રૂપાણીએ જાહેર કર્યા છે.