- સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદા પર રોક
- સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરેશ ધાનાણીએ આવકર્યો
- સરકાર કૃષિ કાયદા પરત નહીં ખેંચે તો કોંગ્રેસ હવે દેશ બચાવો આંદોલન કરશે
ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પસાર કર્યા છે. ત્રણ કૃષિ કાયદાને પગલે છેલ્લા 60 દિવસથી દિલ્હી ખાતે ઘણા થઇ રહ્યા છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણયને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આવકાર્યો છે. આ સાથે જ પરેશ ધાનાણીએ જવા જણાવ્યું હતું કે, સરકાર હવે આ કાયદાને પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા દેશ બચાવો આંદોલન શરૂ કરવામાં આવશે.
ઉદ્યોગપતિઓને માલામાલ કરવાના કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક : પરેશ ધાનાણી
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ઘાનાણીએ આક્ષેપ કર્યા હતા કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં આ ગૃપની અંદર બહુમતી ન હોવા છતાં સ્થાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી કાયદા દેશવિરોધી કાયદાઓને નામદાર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે અને નાના વેપારીઓ બેરોજગાર બનશે.