ગુજરાત

gujarat

વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યદળની યોજાઈ બેઠક

By

Published : Sep 26, 2021, 9:51 PM IST

વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી મંગળવાર દરમિયાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે બીજેપીના તમામ દળના ધારાસભ્યોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ખાસ કરીને વિધાનસભા ચોમાસુ સત્ર દરમિયાન કયા મુદ્દે રણનીતિ બનાવવી, કયા મુદ્દે ચર્ચા કરી રોડમેપ તૈયાર કરવો તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નવનિયુક્ત મુખ્યપ્રધાન અને પ્રધાન મંડળમાં સામેલ પ્રધાનો માટે ચોમાસુ વિધાનસભા સત્રને લઈને ચેલેન્જ પણ હશે.

ચોમાસુ સત્ર પહેલા ભાજપના ધારાસભ્ય દળની યોજાઈ બેઠક
ચોમાસુ સત્ર પહેલા ભાજપના ધારાસભ્ય દળની યોજાઈ બેઠક

  • ભાજપના ધારભ્યદળની બેઠક શરૂ કરાઇ
  • મુખ્યપ્રધાનની હાજરીમાં થઈ બેઠક
  • તમામ ધારાસભ્યોને સત્ર અંગેના સૂચનો આપવામાં આવ્યા

ગાંધીનગર : મુખ્યપ્રધાનના અધ્યક્ષતાને મળેલી વિધાનસભાની બેઠકમાં ખાસ કરીને પૂર્વ પ્રધાન પદે રહી ચૂકેલા સિનિયર પ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાન તેમજ નવનિયુક્ત પ્રધાનો સહિતના તમામ હોદ્દેદારો, ધારાસભ્યોને બેઠકમાં બોલાવવાનો આદેશ કરાયો હતો. જેથી ધારાસભ્યો માટે રજિસ્ટ્રેશન પણ ફરજિયાત હતું. આ પહેલા વિધાનસભાના અધ્યક્ષ પદે રાજેન્દ્ર ત્રિવેદી હતા. જો કે, તે સ્થાન પર હવે નીમાબેન આચાર્યએ પદભાર સંભાળ્યો છે. નવાપ્રધાનોને વિપક્ષોના આક્ષેપોના જવાબો કેવી રીતે આપવા તે તમામ બાબતો અંગે ખાસ માહિતગાર કરાયા હતા.

ચોમાસુ સત્ર પહેલા ભાજપના ધારાસભ્ય દળની યોજાઈ બેઠક

નવા પ્રધાનોએ વિપક્ષોના આક્ષેપોના જવાબો કેવી રીતે આપવા તે અંગે કરાયા માહિતગાર

વિધાનસભાના સત્ર દરમિયાન દર વર્ષે આગળના દિવસે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ ચોમાસુ સત્રના આગળના દિવસે રવિવારે વિધાનસભામાં બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને નવા પ્રધાનોને વિપક્ષના આક્ષેપનો સામનો કેવી રીતે કરવો તેને લઈને સૂચનો અપાયા હતા. મુખ્યપ્રધાન ઉપરાંત સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં તેમને પણ કેટલાક જરૂરી સૂચનો આપ્યા હતા. વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ નીમાબેન આચાર્યનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્ય દળની યોજાઈ બેઠક

વિધાનભમાં દરેકને ફરજિયાત હાજર રહેવા માટે કહેવામાં આવ્યું

આ બેઠક અંગે ભાજપના દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે, વિધાનસભાના સત્ર પહેલા આ બેઠક બોલાવવામાં આવી હતી. આ એક રૂટિન બેઠક બોલાવવામાં આવી હતી. વિધાનસભામાં દરેકને ફરજિયાત હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કાલે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનશે, જેથી તેઓ આજે મિટિંગમાં આવી શકે છે અને તેઓ આવ્યા હતા. જેથી કાલે અધ્યક્ષ તરીકે બેસશે. આવતી કાલથી તેઓ મિટિંગમાં આવી શકશે નહીં. નવા ત્રણ-ચાર વર્ષમાં પણ ધારાસભ્યોએ ઘણી બધી કામગીરી કરી છે. જેથી કોંગ્રેસને પણ વિધાનસભામાં સત્ર દરમિયાન યોગ્ય જવાબ તેમના દ્વારા મળશે.

આ પણ વાંચો-વિધાનસભાના ચોમાસુ સત્ર માટે આજે ભાજપની બેઠક મળશે

આ પણ વાંચો-ગુજરાત વિધાનસભાનું 27 સપ્ટેમ્બરથી બે દિવસીય સત્ર મળશે, નવા પ્રધાનમંડળની થશે કસોટી

ABOUT THE AUTHOR

...view details