ગુજરાત

gujarat

Laws on Stray Cattle : ભાજપના માલધારી સેલના આગેવાનોએ જ સીએમને મળી કાયદો પાછો લેવા રજૂઆત કરી

By

Published : Apr 4, 2022, 7:34 PM IST

ઘરનો કાયદો ને ઘરની રજૂઆતનો ઘાટ આજે જોવા મળ્યો છે. ગાંધીનગરમાં ભાજપના માલધારી સેલના આગેવાનો સીએમને (CM Bhupendra Patel) મળીને ઢોર નિયંત્રણ કાયદો (Laws on Stray Cattle )પાછો લેવા રજૂઆત (BJP Maldhari Cell Demand )કરવા આવ્યાં હતાં.

Laws on Stray Cattle : ભાજપના માલધારી સેલના આગેવાનોએ જ સીએમને મળી કાયદો પાછો લેવા રજૂઆત કરી
Laws on Stray Cattle : ભાજપના માલધારી સેલના આગેવાનોએ જ સીએમને મળી કાયદો પાછો લેવા રજૂઆત કરી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકારે પશુ નિયંત્રણ કાયદો વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022)બહુમતીના જોરે પસાર કર્યા બાદ કોંગ્રેસના વિરોધ બાદ હવે આજે રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને આ કાયદાને પરત ખેંચવાની માંગ કરી હતી. ત્યારે ભાજપના જ માલધારી સેલના (BJP Maldhari Cell Demand )આગેવાનોએ આજે પહેલા સી.આર.પાટીલને આવેદનપત્ર આપ્યું અને ત્યાર બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel)રજૂઆત કરવા સ્વર્ણિમ સંકુલ (Laws on Stray Cattle )પહોંચ્યા હતાં.

સરકાર તરફથી એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે કે આ કાયદો અત્યારે લાગુ પડશે નહીં

આ પણ વાંચોઃસુરતમાં માલધારી સમાજે રાજ્ય સરકાર દ્વારા પશુ ઉપર લગાવવામાં આવેલ કાયદાનો કર્યો વિરોધ

કાયદો અત્યારે લાગુ નહીં પડે- માલધારી સમાજની વાત કરવામાં આવે તો આગેવાનો દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સી.આર. પાટીલ સાથેની મુલાકાત બાદ બેઠક કરવામાં આવી હતી. ત્યારે સરકાર તરફથી એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે કે આ કાયદો અત્યારે લાગુ પડશે નહીં. સાથે જ કાયદામાં જે પણ સુધારા વધારા કરવામાં આવશે તે સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા (Laws on Stray Cattle )બાદ કરવામાં આવશે. ગુજરાત ભાજપના માલધારી સેલના આગેવાન ડૉક્ટર સંજય દેસાઈએ આ જણાવ્યું હતું.

2 દિવસ બાદ યોજાશે બેઠક - જ્યારે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન રણછોડ રબારીએ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે ફક્ત શુભેચ્છા મુલાકાત કરીને કાયદા વિશે ચર્ચા કરવામાં આવી છે. જ્યારે બે દિવસ બાદ ફરીથી આ બાબતે ખાસ બેઠક યોજવામાં આવશે. જ્યારે અત્યારે જે કાયદો વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022)પસાર કરવામાં આવ્યો છે તે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન (High Court directs on the issue of stray cattle)આધારે રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં બિલ પસાર કર્યું છે. આ સાથે જ રાજ્ય સરકાર વિધાનસભામાં પસાર કરેલા બિલ પરત ખેંચે(Laws on Stray Cattle ) તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે આપ્યું આવેદન

તમામ જિલ્લામાં રોષ -રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં જે રીતે નિયંત્રણ કાયદો પસાર કર્યો છે તેને લઈને તમામ જિલ્લામાં રોષ ભભૂકી ઉઠયો હતો અને તમામ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના જ માલધારી સેલના અગ્રણીઓ સીઆર પાટીલની મુલાકાત કરીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને તમામ માલધારી સમાજના લોકો અને કાયદામાં સુધારો વધારો થશે (Laws on Stray Cattle )તેવું આશ્વાસન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details