ગાંધીનગર : અમદાવાદના ધંધૂકા (Dhandhuka Murder Case) તાલુકામાં કિશન ભરવાડ (Kishan Murder Case) નામના યુવકને સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી તેનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. ત્યારે ભરવાડ સમાજ દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી અને સરઘસ કાઢીને આરોપીઓને વધુમાં વધુ કડકમાં કડક સજા થાય તેને ધ્યાનમાં લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ સાથે ભરવાડ સમાજનું ઘર્ષણ થયું હતું. આજે સમાજના આગેવાનોએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક કરીને રેલી અને સરઘસ નહીં યોજવાની જાહેરાત કરી છે.
પોલીસની કામગીરીથી સંતુષ્ટ
ભરવાડ સમાજના આગેવાન રામબાબુએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠક કરીને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કિશન ભરવાડના હત્યાના (Kishan Murder Case) આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે અમે સરકાર અને પોલીસની કામગીરીથી સંતુષ્ટ છીએ. જ્યારે એટીએસને (Gujarat ATS Investigation ) સમગ્ર તપાસ સોંપવાથી આ બાબતનો સુખદ અંત પણ આવશે. જ્યારે આરોપીઓને વહેલી તકે સજા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વકીલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ હવે આવનારા દિવસોમાં સમાજ દ્વારા એક પણ રેલી કે સરઘસ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો