ગુજરાત

gujarat

Sardar Patel Birth Anniversary : 146મી જન્મજયંતિ પર જાણો સોમનાથ મંદિરની નિર્માણ ગાથા...

By

Published : Oct 31, 2021, 6:46 AM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ (Sardar Patel Birth Anniversary ) નિમિત્તે દેશના 12 જ્યોતિર્લિંગમાનાં પ્રથમ એવા સોમનાથના પુનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા વિશે જાણીએ, સોમનાથના પૂનઃનિર્માણમાં (Reconstruction of Somnath Temple) શુ હતી તેમની મુખ્ય અને મહત્વની ભુમિકા....

Sardar Patel Birth Anniversary
Sardar Patel Birth Anniversary

  • સોમનાથના પૂનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા
  • સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિની કરી રહ્યા છે ઉજવણી
  • 13 નવેમ્બર 1947ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ

ન્યૂઝ ડેસ્ક : જ્યારે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતિ (Sardar Patel Birth Anniversary ) ઉજવી રહ્યો છે, ત્યારે દેશના 12 જ્યોતિર્લિંગમાનાં પ્રથમ એવા સોમનાથના પૂનઃનિર્માણમાં (Reconstruction of Somnath Temple) સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા વિશે આપને જણાવીશું.

સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ

જીર્ણ અવશેષોમાં વિખરાયેલા સોમનાથ મંદિરને રાહ હતી એવા વ્યક્તિની કે, જે આ વિખેરાયેલા કાટમાળને સમેટી અને સોમનાથના પતાકા ફરીથી લેહરાવે અને 13 નવેમ્બર 1947ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ હતી. 12 નવેમ્બર 1947- આરઝી હુકૂમત દ્વારા જ્યારે જૂનાગઢ સ્વતંત્ર કરાવામાં આવ્યું, ત્યારે સરદાર પટેલ પહેલા જૂનાગઢ અને ત્યારબાદ 13 નવેમ્બર 1947એ સોમનાથ ગયા હતા. સોમનાથના ભગ્ન અવશેષો જોઈ તેમનું હદય દ્રવી ઉઠ્યુ અને તેઓએ સોમનાથ નજીક સમુદ્ર જળમાંથી અંજલિ લઈ અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. લોકભાગીદારીથી સરદાર પટેલે આ મંદિર બનાવવા આહવાન કર્યું, જેના પ્રત્યુત્તરમાં જામનગરના રાજવી જામસાહેબ તેમજ હાજર તમામે દાનની સરવાણી વહાવી અને સોમનાથનું પુનઃ નિર્માણ શરૂ થયું હતુ.

મંદિર બહાર સરદાર પટેલની ભવ્ય મૂર્તિ આપે છે વિશેષ સંદેશ

જ્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ દ્વારા સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે દુર્ભાગ્યે સરદાર પટેલ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. જેમના સન્માનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વલ્લભભાઈ પટેલની ભવ્ય મૂર્તિ સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવી, જે આજે પણ લોકોને સરદારના મક્કમ ઇરાદાઓ વિશે સંદેશ આપે છે. આમ, જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથના પુનઃ નિર્માણને પામી ન હોત અને આજે સોમનાથને આપણું દરેક નમન સરદારના પ્રયત્ન અને એમની દીર્ઘદ્રષ્ટિને આભારી છે તેવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details