ગુજરાત

gujarat

Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, 12 દર્દીઓએ આપી કોરોનાને માત

By

Published : Sep 24, 2021, 9:48 PM IST

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે 24 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 12 દર્દીઓએ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 જ કોર્પોરેશન અને 2 જિલ્લામાં કેસ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબુમાં લાવવા રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે 24 સપ્ટેમ્બરે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 2 જિલ્લામાં કચ્છ અને વલસાડમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4 અને જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 5,24,249 નાગરિકોને અપાઈ વેક્સિન

24 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 5,24,249 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,81,572 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,94,067 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 5,88,74,471 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150 નીચે નોંધાયા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 145 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 141 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ મૃત્યુ 10,082 નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો-કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા ગ્રામ્યસ્તર સુધી કમિટીની રચના, 'અમારું બાળક કોરોનામુક્ત બાળક'નું સૂત્ર અપાયું

આ પણ વાંચો-દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31,382 કેસ નોંધાયા, અડધાથી વધુ કેસ તો માત્ર કેરળમાં

ABOUT THE AUTHOR

...view details