ગુજરાત

gujarat

કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો

By

Published : Jun 10, 2021, 9:28 AM IST

ગાંધીનગર મનપા વિસ્તારમાં રોજના 4,000 લોકોને વેક્સિન આપવામાં આવે છે, પરંતુ સવારે 400 સ્લોટ ખાલી હતા, બપોરના 1.30 વાગ્યા સુધી 250થી જેટલા સ્લોટ ખાલી જ રહી ગયા હતા. ગાંધીનગર મનપા વિસ્તારમાં 20 જેટલા સેન્ટરો પર ભીડ ઘટતી જોવા મળી હતી.

કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો
કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો

  • ઓનલાઇન રજીસ્ટ્રેશનના સ્લોટ જ ઘટ્યા
  • રોજ સ્લોટ બીજા દિવસે ભરાઈ જાય છે આજે ખાલી હતા
  • વેક્સિન સેન્ટરોમાં ભીડ ઘટી ગઈ

ગાંધીનગર : કોરોનાના કેસ ઘટતા વેક્સિન લેવા માટેની પ્રક્રિયા પણ મંદ પડી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા સેન્ટરોમાં 18થી 45 વર્ષ સુધીની વ્યક્તિઓ માટે વેક્સિનના સ્લોટ ખાલી પડી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સ્લોટ એક પણ ખાલી રહેતો નહોતો, વેક્સિન લેવામાં પડાપડી જોવા મળતી હતી. વેક્સિનના સ્લોટ ના મળતા કેટલાક યુવાનોમાં નારાજગી પણ જોવા મળતી હતી, પરંતુ અત્યારે સ્લોટ જ ખાલી છે.

કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો

આ પણ વાંચોઃબનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન

સ્લોટ બુકીંગ કરાવનારને બીજા દિવસે જ વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ મળે છે

18થી 45 વયની ઉંમરના યુવાનો માટે વેક્સિનના 20 જેટલા સેન્ટરો મનપા વિસ્તારમાં ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે કોઈ સેન્ટર પર લાઈનો જોવા મળી નથી. હાલ વેક્સિન લેવા માટે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. સ્લોટ બુકીંગ કરાવનારને બીજા દિવસે વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ મળે છે. પરંતુ હાલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા વેક્સિન સેન્ટરો પર વેક્સિનના સ્લોટ ખાલી રહેતાં રજિસ્ટ્રેશનના દિવસે જ વેક્સિન મળી રહી છે. જેથી જેને પણ વેક્સિન ઝડપી લેવી હશે, તેમને સ્લોટ ખુલ્લા રહેતા જલ્દીથી જ મળશે.

કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો

સવારે 400 જેટલા સ્લોટ ખાલી બપોરે 150 ભરાતા 250 ખાલી રહી ગયા હતા

સવારના સમયે વેક્સિનના 400 સ્લોટ ખાલી હતા. જો કે, બપોર સુધી 150 સ્લોટ ભરાતા બીજા 250 સ્લોટ બપોરના સમય સુધી ખાલી હતા. ગાંધીનગર મનપા વિસ્તારના 20 જેટલા સેન્ટરો પરથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 4000થી વધુ વયના લોકોને દરરોજ વેક્સિન આપવામાં આવે છે. પરંતુ લોકોનો રસ વેક્સિન લેવા પ્રત્યે રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી ઘટી રહ્યો છે.

આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લામાં 15 સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે

જો કે, કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે, જેને પગલે હવે વેક્સિનની પણ લાઈનો ઓછી થઈ રહી છે. વેક્સિનના ડોઝ વધુ આવશે, તો ક્યાંક આગામી દિવસોમાં એવું પણ બની શકે છે કે, રજિસ્ટ્રેશન પણ ના કરાવવું પડે.

ABOUT THE AUTHOR

...view details