ગુજરાત

gujarat

Corona Cases Update : ગુજરાતમાં 1,128 તો દેશમાં 20,408 નવા પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jul 30, 2022, 11:50 AM IST

Updated : Jul 30, 2022, 11:59 AM IST

ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડી રહ્યા છે. જોકે, લોકો વધુ આરામદાયક અને કેરલેસ (Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસ ગુજરાતના જિલ્લાઓમાં (Corona Cases Surge in Gujarat) છે.

Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 1128 પોઝિટિવ કેસ
Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 1128 પોઝિટિવ કેસ

ગાંધીનગર:રાજ્યમાં કોરોના કેસમાં (Corona cases in Gujarat) હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1128 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 6218 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 10 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 6208 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યારસુધીમાં 10,968 મૃત્યુ નોંધાયા છે, આજે 886 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 03 મૃત્યુ નોંધાયું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,408 નવા કોવિડ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ

હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી :રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચો:Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

આજે 5,73,627 રસીકરણ થયું: કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 29 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 5,73,627 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝમાં 88,870 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 4397 બીજા ડોઝમાં 3940 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,55,60,693 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 18 થી 59 સામાન્ય નાગરીકો માં 4,60,939 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

Last Updated : Jul 30, 2022, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details