ગુજરાત

gujarat

Corona Guidelines Gujarat: નેતાઓ માસ્ક નથી પહેરતા તો હું પણ નહીં પહેરું તેવું ન કરતાં... ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા

By

Published : Jan 10, 2022, 5:36 PM IST

Corona Guidelines Gujarat: નેતાઓ માસ્ક નથી પહેરતા તો હું પણ નહીં પહેરું તેવું ન કરતાં... ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જે તે વ્યક્તિ અથવા તો જે તે નેતાએ માસ્ક પહેર્યું નથી એટલે હું પણ માસ્ક (Mask Rules In Gujarat) નહીં પહેરું તેવું કરશો નહીં. તેમણે કહ્યું હતું કે, જો કોઈપણ વ્યક્તિ ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)નું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat)ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા પ્રભારી મંત્રીઓને જિલ્લામાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ અંતર્ગત આજે ગાંધીનગરકલેક્ટર ઓફિસ (Gandhinagar Collector Office)માં ગાંધીનગર જિલ્લાના પ્રભારી નેતા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોરોનાની પરિસ્થિતિ (Corona In Gujarat)ની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગર (Corona In Gandhinagar) શહેર અને જિલ્લામાં 4 ટકા પોઝિટિવિટી રેટ સામે આવ્યો છે અને આ રેટ ઓછો કઈ રીતે થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

નેતાઓ માસ્ક નથી પહેરતા એટલે હું પણ માસ્ક નહીં પહેરું તેવું ના કરતા

પોઝિટિવિટી રેટ ઓછો કઈ રીતે થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારેકોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ (vibrant Gujarat global summit 2022)નો કાર્યક્રમ પણ મોકૂફ કર્યો છે. રાજ્યની જનતા પણ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સાવચેત રહે તે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમુક લોકો એકબીજાની નકલ કરતા હોય છે અને ટિપ્પણી પણ કરતા હોય છે. જનતાને હાથ જોડીને વિનંતી કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે તે વ્યક્તિ અથવા તો જે તે નેતાએ માસ્ક પહેર્યું નથી એટલે હું પણ માસ્ક નહીં પહેરું તેવું કરશો નહીં. જો આવું કરશો તો તમે અને તમારા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જેથી આવું કોઈ પણ કાર્ય ન કરવાની વિનંતી પણ હર્ષ સંઘવીએ કરી હતી.

તમામ લોકો માટે નિયમો સરખા

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ લોકો માટે નિયમો સરખા જ છે અને જો કોઈપણ વ્યક્તિ ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)નું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અનેક જગ્યાએથી અમુક લોકોની ફરિયાદ પ્રાપ્ત થઈ છે, ત્યારે તમામ ફરિયાદને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઇપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે જ કાર્યક્રમો કરવા જોઇએ તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી.

આ પણ વાંચો:Coronavirus Precaution dose: રાજકોટમાં 60,000 લોકોને અપાશે પ્રિકોશન ડોઝ, વજુભાઈ વાળાએ કરાવી શરુઆત

ગાંધીનગર જિલ્લામાં કોવિડને લઈને તમામ તૈયારીઓ

ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રીએ સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાને ધ્યાનમાં લઇને તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. ગાંધીનગરના તમામ તાલુકાઓમાં ઓક્સિજનની વ્યવસ્થા (Oxygen System In Gandhinagar), ઓક્સિજન બેડ અને પૂરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાંધીનગરમાં અગાઉ પણ કેન્દ્ર સરકારે લાખોના મશીનની વ્યવસ્થા કરી છે, ત્યારે કલોલ-માણસા જેવા મોટા તાલુકાઓમાં ઓક્સિજન કંસન્ટરેટર પણ સર્વિસ કરાવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

ગાંધીનગરમાં ટ્રેકિંગ વ્યવસ્થા સારી

ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા બીજી લહેર દરમિયાન જ ટેસ્ટ અને ટ્રેકિંગ (Corona Testing In Gandhinagar)ની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ગાંધીનગર જિલ્લાના અને શહેરના કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી જો કોઈ વ્યક્તિ તાવ, ઉધરસ અથવા તો શરદીની દવા લઈ જાય તો તેનું ખાસ રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું અને તે રજિસ્ટર કરેલ નામ આરોગ્ય મથક પર પહોંચાડવામાં આવતું હતું, ત્યારબાદ તે વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવતું. વધુ પ્રમાણમાં લોકોના પોઝિટિવ કેસ પણ સામે આવ્યા છે, ત્યારે આ સિસ્ટમને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી પ્રધાને પણ ટેસ્ટિંગ સિસ્ટમને સર્વશ્રેષ્ઠ સિસ્ટમ ગણાવી છે.

આ પણ વાંચો:Corona Precaution Dose: પાટણમાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ, 350 રસીકરણ કેન્દ્ર પર અપાશે રસી

ABOUT THE AUTHOR

...view details