Corona Precaution Dose: પાટણમાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ, 350 રસીકરણ કેન્દ્ર પર અપાશે રસી

author img

By

Published : Jan 10, 2022, 1:51 PM IST

Corona Precautionary Dose Vaccination in Patan: પાટણમાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ, 350 રસીકરણ કેન્દ્ર પર અપાશે રસી

પાટણ શહેર સહિત જિલ્લામાં 350 જેટલા રસીકરણ કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી આજથી શરૂ (Corona Precautionary Dose operation started in Patan ) થઈ ગઈ છે. રસીકરણ કેન્દ્ર પર હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને પ્રિકોશન ડોઝ (Corona Precautionary Dose Vaccination in Patan) આપવામાં આવી રહ્યો છે. તો જિલ્લામાં સવારથી જ પ્રિકોશન ડોઝ લેવા લાંબી કતાર (Long line for precautionary dose in Patan) જોવા મળી હતી.

પાટણઃ જિલ્લામાં 350 જેટલા રસીકરણ કેન્દ્ર પર આજે કોરોનાની રસીના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત (Corona Precautionary Dose Vaccination in Patan) થઈ ગઈ છે. તો જિલ્લામાં સવારથી જ પ્રિકોશન ડોઝ લેવા લાંબી કતાર (Long line for precautionary dose in Patan) જોવા મળી હતી. જિલ્લામાં 10,835 ફ્રન્ટલાઈન વર્કર્સ, 8,500 હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસીનો પ્રિકોશન ડોઝ ( Corona Precautionary Dose operation started in Patan) અપાશે.

કોરોનાની રસી અંગે લોકોમાં આવી જાગૃતિ

આ પણ વાંચો- Precaution Dose of Covid: આજથી મળશે કોરોના રસીનો Booster Dose, નહીં કરાવવું પડે નવું રજિસ્ટ્રેશન

કોરોનાની રસી અંગે લોકોમાં આવી જાગૃતિ

ઉલ્લેખનીય છે કે, કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણ જ એક માત્ર ઉપાય છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત અનુસાર આજથી સમગ્ર દેશમાં કોરોનાની રસીનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ (Corona Precautionary Dose operation started in Patan) ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી જિલ્લામાં કોરોના કેસ વધતા લોકોમાં કોરોનાની રસી અંગે જાગૃતિ (Public awareness about corona vaccine) આવી છે અને વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર રસી લેવા લાંબી કતારો જોવા મળી (Long line for precautionary dose in Patan) હતી.

પાટણમાં રસીકરણ કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ માટે લાંબી કતાર જોવા મળી
પાટણમાં રસીકરણ કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ માટે લાંબી કતાર જોવા મળી

આ પણ વાંચો- Omicron Case in India : ભારતમાં કોરોનાના 1,79,723 નવા કેસ, ઓમિક્રોનના 4,033 કેસ નોંધાયા

બીજો ડોઝ લીધાને 9 મહિના થયા હોય તેવા લોકો જ પ્રિકોશન ડોઝ લઈ શક્શે

જિલ્લામાં પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓને ક્રમાનુસાર, પ્રિકોશન ડોઝ આપવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુચારું આયોજન (Health department planning for Precaution Doses) કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રસી લેવાથી વ્યક્તિઓના શરીરમાં કોરોના વિરોધી એન્ટિ બોડીઝનું સ્તર ઊંચુ આવશે, જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે, જે વ્યક્તિઓએ કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેને 9 મહિના પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિઓ પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.