ગુજરાત

gujarat

Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધતા સ્થિતિ વણસી રહી છે, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો

By

Published : Jun 15, 2022, 10:23 PM IST

ગુજરાતમાં કોરોનના કેસો(Corona cases in Gujarat) સતત વધતા નજરે ચડે છે. જ્યારે લોકો વધુ આરામદાયક અને કેરલેસ(Careless People for Corona) થઇ ચુક્યા છે. તદુપરાંત લોકો કોરોના કાળ દરમિયાન જે સમયમાંથી પસાર થયા હતા એ સમય હવે તેમને યાદ રહ્યો નથી. ચાલો જાણીયે ક્યાં અને કેટલા કેસીસ ગુજરાતના જિલ્લાઓમાં(Corona Cases Surge in Gujarat) છે. આ સાથે આ તમામ પરિસ્થિતિ પાછળ ક્યાં ક્યાં કારણો જાવાબદાર હોઈ શકે.

Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધતા સ્થિતિ વણસી રહી છે, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો
Corona cases in Gujarat: કોરોનાના કેસો ધીમે ધીમે વધતા સ્થિતિ વણસી રહી છે, સામે કેટલા આવ્યા પોઝિટિવ કેસો

ગાંધીનગર:ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 184 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 991 થયા છે. વેન્ટિલેટર ઉપર એક દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 990 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,945 મૃત્યુ નોંધાયા છે, આજે 112 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું છે.

ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે,
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા
No. કોર્પોરેશન કોરોનાના કેસો
1 અમદાવાદ 91
2 બરોડા 18
3 સુરત કોર્પોરેશન 16
4 રાજકોટ 10
5 ગાંધીનગર 07

ક્યાં ક્યાં જિલ્લામાં કેટલા કેસો -કચ્છ 04, સુરત ગ્રામ, વલસાડ 4-4 કેસ, અમદાવાદ ભરુચ, ગાંધીનગર રાજકોટ જિલ્લામાં 03-03 કેસો સામે આવ્યા છે. આણંદ, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન ખેડા મોરબી નવસારી જિલ્લામાં બે બે કેસ આવ્યા છે. જ્યારે ભાવનગર કોર્પોરેશન મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ પામ્યું છે.

આ પણ વાંચો:Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના

આજે 43,217 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 15 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 43,217 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં(Corona Precaution Doses) 22,493, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 1734 બીજા ડોઝમાં 6683 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,06,33,665 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:કોરોનાના વધી રહેલા કેસના કારણે હીરા ઉદ્યોગમાં ભયનો માહોલ

માસ્ક કલ્ચર પણ અદૃશ્ય - અત્યારે વિશ્વભરમાં કોરોના કેસની શક્યતા ઓછી છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સાથે સાથે કોરોનાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, છતાં આ સમયે નિયંત્રણની શક્યતા ઓછી છે. વધુમાં, બૂસ્ટર ડોઝ(Booster Dose Vaccination) માટે રસીકરણ બિનઅસરકારક છે, અગાઉની જેમ. તે જ સમયગાળામાં માસ્ક પણ અદૃશ્ય થઈ રહી હોવાનું જણાય છે. પ્રવાસીઓ માટે(Currently Tourist Guideline), જોકે, તે નિયમ હતો. હવે આવા સલામતી પગલાં ફરજિયાત નથી. તે એક વાહિયાત પરિસ્થિતિમાં પરિણમે છે.

ABOUT THE AUTHOR

...view details