ગુજરાત

gujarat

5 મહિના બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આવાગમન ફ્રી કરાયું

By

Published : Aug 25, 2020, 4:41 PM IST

વૈશ્વિક મહામારી કોરોનાને લઇને માર્ચમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. જો કે, સોમવારે સંઘપ્રદેશ પ્રશાસને લોકોની માગને ધ્યાનમાં રાખી પ્રદેશમાં આવવા માટેની તમામ બોર્ડર ખોલી દીધી છે. જેથી હવે દમણ, દીવ કે દાદરા નગર હવેલીમાં આવનજાવન માટે ઇ-પાસ જરૂરી રહેશે નહીં.

ETV BHARAT
5 મહિના બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આવાગમન ફ્રી કરાયું

દમણ: દેશમાં અનલોક જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં માત્ર ઇ-પાસ અને ઇમરજન્સી સેવા માટે જ લોકો અવર-જવર કરી શકતા હતા. જો કે, સંઘપ્રદેશ પ્રશાસને સોમવારે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, હવે સંઘપ્રદેશમાં પ્રવેશ માટે કે બહાર જવા માટે કોઇપણ ઇ-પાસની જરૂરિયાત રહેશે નહીં. જેથી લોકો સરળતાથી ધંધા રોજગાર અર્થે આવી શકશે.

5 મહિના બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આવાગમન ફ્રી કરાયું

બીજી તરફ 5 મહિનાથી હોટલ વ્યવસાય મરણ પથારીએ પહોંચી ગયો હતો. જેને પણ પુન: જીવનદાન મળશે.

બે દિવસ અગાઉ જ ગૃહમંત્રાલયના સેક્રેટરીએ દરેક રાજ્યને પાઠવેલા પત્રમાં કોઇપણ રાજ્ય પોતાની સીમા ઉપર લોકોની અવરજવર બંધ રાખી શકશે નહીં એવા આદેશ કર્યા હતા. આ પત્રના સંદર્ભમાં સંઘપ્રદેશની બોર્ડર ખોલવા માટે માગ કરવામાં આવી હતી. જેથી મંગળવારથી ત્રણેય સંઘપ્રદેશમાં લોકો હવે ઇ-પાસ વિના જ અવર-જવર કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details