- 3 ભારતીય ઇરાનના અબ્બાસ પોર્ટ પર જહાજમાં ફસાયા
- ફસાયેલા ભાવનગરના યુવાને વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે માંગી મદદ
- ધ્યેય હળવદીયા અને 2 ભારતીય સહિત જહાજમાં કુલ 19 કૃ મેમ્બર ફસાયા
ભાવનગર: શહેરના સર ટી હોસ્પિટલના કોરોના દર્દીઓને સ્વસ્થ કરતા ડૉક્ટર દંપતિનો પુત્ર ઇરાનના અબ્બાસ પોર્ટ પર જહાજમાં ફસાયો છે. માલિક અને એજન્ટની માથાકૂટમાં કુલ 19 કૃ મેમ્બર ફસાતા ભારતીય કૃ મેમ્બરોએ ભારત સરકાર પાસે મદદ માંગતા મનસુખ માંડવીયાએ સરકારના વિભાગમાં જાણ કરી કૃ મેમ્બરો ભારત પરત આવે તેવા પ્રયાસ હાથ ધર્યા છે. ભાવનગર શહેરનો યુવાન મરીન એન્જીનીયર મધદરિયે માલીક અને એજન્ટના કારણે જહાજમાં ફસાયો છે. આ સાથે, 19 કૃ મેમ્બર જેમાં 3 ભારતીય છે.
આ પણ વાંચો:ભાવનગરમાં કોરોનાના સૌથી વધુ 170 કેસો નોંધાયા
ભાવનગરનો યુવાન જહાજમાં ફસાયો
ભાવનગરના કમલભાઈ હળવદીયા અને તેમના પત્ની દીપતિબેન સર ટી હોસ્પિટલના કર્મચારી છે. છેલ્લા 1 વર્ષથી તેઓ હોસ્પિટલમાં સારવાર આપે છે અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ પુરી પાડી રહ્યા છે. આ દરમિયાન, તેમનો દીકરો એન્જીનીયર ધ્યેય હળવદીયા જહાજમાં ફરજ દરમિયાન ફસાયો છે. ત્યારે, દીકરાની મદદે ભારત સરકાર આવતા માતાપિતાના દુઃખમાં ઘટાડો થયો છે.