ગુજરાત

gujarat

ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુકસાનની ભીતિ

By

Published : Apr 13, 2021, 4:33 PM IST

Updated : Apr 13, 2021, 7:27 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાથી ગરમી અને બફારામાં રાહત મળી છે, તો કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે. એક તરફ મોર વધુ બેસવા છતાં કેરી ખરી પડવાના કારણે ઉત્પાદન ઓછું થવાનો ભય છે, એવામાં માવઠા જેવી ઉભી થતી સ્થિતિ ખેડૂતોની ચિંતા ઉભી કરી રહી છે.

ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુક્સાનની ભીતિ
ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

  • ઠંડો પવન આવતાની સાથે રાહત અનુભવાય છે
  • કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઇ રહી છે
  • ભાવનગરમાં ગરમીનો પારો 40ને સ્પર્શી ગયો છે

ભાવનગર :શહેર અને જિલ્લામાં અચાનક સવાર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીમાંથી લોકોને રાહત મળી છે, કારણ કે ઠંડો પવન આવતાની સાથે રાહત અનુભવાય છે. જો કે સૌથી વધુ ચિંતા ખેડૂતોને થઈ છે. બાગાયત ખેતી એટલે કે કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

આ પણ વાંચોઃવલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ

ભાવનગરમાં ગરમીનો પારો, બાદમાં વાતાવરણમાં પલટો

ભાવનગરમાં ગરમીનો પારો 40ને સ્પર્શી ગયો છે. ત્યારે અચાનક લાગતા તાપ અને બફારામાંથી લોકોને રાહત મળી છે. અચાનક સવાર બાદ બપોરના સમયે વાતાવરણ બદલાઈ ગયું હતું. વાતાવરણમાં જોઈએ તો વાદળછાયું બન્યું હતું. તાપ અને બફારો દૂર થઈને હવામાં ઠંડક જોવા મળી હતી.

ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

આ પણ વાંચોઃકેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા

બદલાયેલા વાતાવરણથી કેરીને નુકસાન, તો ખેડૂતને ચિંતા

ભાવનગર જિલ્લામાં બદલાયેલું વાતાવરણ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે. કારણ કે જિલ્લામાં અલંગ પાસે સોસિયા, જસપરા જેવા ગામોમાં કેસર કેરીની બાગાયત ખેતી કરવામાં આવે છે. આ વર્ષે મોર આંબા પર બેસ્યા બાદ કેરીઓ આવતા ખરી જવાને કારણે પાક ઓછો ઉતરવાની શક્યતા છે. એવામાં માવઠા જેવું વાતાવરણ સર્જાતા ખેડૂતોને હવે ચિંતા જાગી છે કે, જો માવઠું થશે તો જે છે એ પાકમાં પણ ઘટાડો થશે.

Last Updated :Apr 13, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details