ગુજરાત

gujarat

જામનગર કસ્ટોડિયલ ડેથ: હાઈકોર્ટે પ્રવિણસિંહ ઝાલાના વચ્ચગાળા જામીન મંજૂર કર્યા

By

Published : Jun 24, 2020, 10:37 PM IST

વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જો કે, આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જામીન મુક્ત કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. 2019માં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને જામનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

High Court grants interim bail to Pravin Singh Jhala
જામનગર કસ્ટોડિયલ ડેથ: હાઈકોર્ટે પ્રવિણસિંહ ઝાલાના વચ્ચગાળા જામીન મંજૂર કર્યા

અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને જામીન મુક્ત કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. 2019માં પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને જામનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

હાઈકોર્ટે જામનગર કસ્ટડીયલ ડેથ કેસના આરોપી અને પૂર્વ પોલીસકર્મી પ્રવિણસિંહ ઝાલાને પત્નીની સર્જરીની સારવાર માટે 10 દિવસના વચ્ચગાળા જામીન મંજૂર કર્યા છે. જો કે, કોરોના નેગેટિવ આવશે તો જ જામીન આપવામાં આવશે. જો આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો એ તારીખથી 10 દિવસ સુધી વચ્ચગાળા જામીન મંજૂર કર્યા હતા.

આ અગાઉ આરોપી પ્રવીણસિંહ ઝાલાની પત્નીની ઘૂંટણની સર્જરી કરાવવા માટે વચ્ચગાળા જામીન અરજી કરી હતી. 20મી જૂન 2019ના રોજ જામનગર શેસન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિત અન્ય એક પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલાને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આઈપીસીની કલમ 302 દોષિટ ઠારવતા તેમને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી. અન્ય આરોપીઓને પણ કલમ 323 અને 506 પ્રમાણે કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠારવામાં આવ્યા હતા.

વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જ્યારે જામનગરના એસપી હતા, ત્યારે જામજોધપુરમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રભુદાસ વૈષ્ણવનું કસ્ટોડિયલ ટોર્ચરમાં મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરૂધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details