ગુજરાત

gujarat

ભાજપની ચિંતન શિબિરની આજે પૂર્ણાહુતિ

By

Published : May 16, 2022, 7:44 AM IST

Updated : May 16, 2022, 12:19 PM IST

ભાજપની ચિંતન શિબિરની આજે પૂર્ણાહુતિ
ભાજપની ચિંતન શિબિરની આજે પૂર્ણાહુતિ

11:16 May 16

PM મોદી નેપાળ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નેપાળ પહોંચ્યા છે. અહીં તેમણે માયાદેવી મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી.

09:57 May 16

અસમમાં પૂરનો કહેર, 57,000 લોકો થયા અસરગ્રસ્ત, 3 લોકોના મોત

પૂર્વોત્તર રાજ્ય અસમમાં પૂરના કારણે 7 જિલ્લામાં 57,000 લોકોને અસર થઈ છે. આ લહેરમાં મહેસુલ બોર્ડ અંતર્ગત લગભગ 222 ગામ અસરગ્રસ્ત થયા છે. જ્યારે લગભગ 10,321.44 હેક્ટર ખેતીલાયક જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. જ્યારે એક બાળક સહિત 3 લોકોના મોત થયા છે.

07:40 May 16

બેરોજગારી સામે ગુજરાત કૉંગ્રેસે કરી લાલ આંખ

રાજ્યમાં વધતી બેરોજગારી સામે લડતા આપવા માટે આજે ગુજરાત યુવક કૉંગ્રેસ 'ગુજરાત માગે રોજગાર' નામનું અભિયાન શરૂ કરશે. તેનો પ્રથમ તબક્કો 17 મેએ શરૂ થશે.

07:39 May 16

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નૂતન પ્રવેશદ્વારનું કરાશે ખાતમુહૂર્ત

જૂનાગઢમાં જવાહર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નૂતન પ્રવેશદ્વારનું આજે ખાતમુહૂર્ત કરાશે. અહીં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિ રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે.

07:17 May 16

GUJARAT BREAKING NEWS LIVE

ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરનો આજે (સોમવારે) (BJP Chintan Shibir 2022) છેલ્લો દિવસ છે. બાવળામાં આવેલા કેન્સવિલા ખાતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : May 16, 2022, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details