ગુજરાત

gujarat

Corona cases in Gujarat : 24 કલાકમાં 1101 કેસ, જૂઓ અન્ય વિગતો

By

Published : Jul 28, 2022, 9:41 PM IST

રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો (Corona cases in Gujarat) જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર કોરોનાના કેસ 1000નો આંકડોવટાવીને આવ્યાં છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 1101 કેસ નોંધાયાં છે, જેમાં ફક્ત અમદાવાદમાં જ 365 પોઝિટિવ કેસ (Ahmedabad corona case ) નોંધાયાં હતાં.

Corona cases in Gujarat :  24 કલાકમાં 1101 કેસ, જૂઓ અન્ય વિગતો
Corona cases in Gujarat : 24 કલાકમાં 1101 કેસ, જૂઓ અન્ય વિગતો

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1101 જેટલા પોઝિટિવ કેસ (Corona cases in Gujarat ) સામે આવ્યા છે આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 5995 થયા છે. વેન્ટિલેટર ઉપર 15 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 5980 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,965 મૃત્યુ નોંધાયા છે, આજે 886 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે અમદાવાદ કોર્પોરેશનમાં 01 મૃત્યુ (Corona update in Gujarat ) નોંધાયું છે.

કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદ કોર્પોરેશનમાં 365, સુરત કોર્પોરેશન 48, ગાંધીનગર કોર્પોરેશન 40, બરોડા કોર્પોરેશન 78, જામનગર કોર્પોરેશન 03, રાજકોટ કોર્પોરેશન 43, ભાવનગર કોર્પોરેશન 21, અને જૂનાગઢ કોર્પોરેશન 01માં નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Corona cases in Gujarat : રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 937 પોઝિટિવ કેસ

જિલ્લાની વિગતો -નવા નોંધાયેલા કેસોમાં મહેસાણા 76, ગાંધીનગર 60, બરોડા 58, કચ્છ 38, સુરત 29, બનાસકાંઠા 26,વલસાડ 22 ,નવસારી 19, ભરુચ 18, અમરેલી 17, સાબરકાંઠા 17, પાટણ 16, રાજકોટ 16, આણંદ 14, અમદાવાદ 10, પોરબંદર 9, દ્વારકા 6, પંચમહાલ 05, તાપી 5, ભાવનગર 4,જામનગર 3, સુરેન્દ્રનગર 3, મહીસાગર 02, છોટાઉદેપુર 01, ગીર સોમનાથ 01 અને જૂનાગઢ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચોઃ Surat Corona Update : નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાયા, સાથે વકર્યો આવો રોગચાળો

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો (Corona cases in Gujarat ) થઇ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે આમ અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આજે 3,65,501 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 28 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 3,65,501 નાગરિકોનું રસીકરણ (Gujarat Vaccination) કરવામાં આવ્યું હતું જેમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝમાં 46,559 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 3504 બીજા ડોઝમાં 3299 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,49,87,066 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે 18 થી 59 સામાન્ય નાગરીકો માં 2,98,711 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details