ગુજરાત

gujarat

અમદાવાદમાં મોટાભાગની જમીનો પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ મળી

By

Published : Jul 10, 2022, 3:44 PM IST

અમદાવાદ કલેકટર કચેરી ખાતે અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની 13 બેઠક મળી છે. જેમાં કુલ 1390 અરજીઓ (Ahmedabad Land Grabbing ) મળી છે. જેમાંથી 756 અરજીનો નિકાલ કરાયો છે. 64 અરજીઓ મંજુર કરી 321 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદમાં મોટાભાગની જમીનો પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ મળી
અમદાવાદમાં મોટાભાગની જમીનો પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ મળી

રાજ્ય સરકારે જમીનના કેસનો નિકાલ કરવા માટે લેન્ડ ગ્રેબિંગ (Ahmedabad Land Grabbing Law) કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત તમામ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજવા આદેશ કરેલો છે. દર મહીને એક વખત કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની બેઠક (Ahmedabad Land Grabbing Meating) મળે છે.

અમદાવાદમાં મોટાભાગની જમીનો પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ મળી

આ પણ વાંચો:પ્રાકૃતિક ખેતી અભિયાનને આગળ વધતુ જોઈને આનંદ : વડાપ્રધાન મોદી

અમદાવાદ કલેકટર કચેરી ખાતે અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની 13 બેઠક મળી છે. જેમાં કુલ 1390 અરજીઓ મળી છે. જેમાંથી 756 અરજીનો નિકાલ કરાયો છે. 64 અરજીઓ (Ahmedabad Land Grabbing ) મંજુર કરી 321 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ

મળેલી અરજીઓ પૈકી 634 અરજી પેન્ડીંગ છે. જેનો આગમી દિવસમાં નિકાલ કરવામાં આવશે.જે 64 ફરિયાદ નોંધવામાં આવી તેમાં 22 ફરિયાદ સરકારી જમીન અંગે અને 42 ખાનગી જમીન માટે નોંધવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન

આ પણ વાંચો:Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ
03,83,488 ચો.મી. સરકાર જમીન અને 05,99,250 ચો.મી. ખાનગી જમીન ખાલી કરાવવામાં આવી કુલ 08,82,743 ચો.મી. જમીન ખાલી કરાવવામાં આવી છે. સરકારી જમીન ખાલી કરાવી તેની જંત્રી કિંમત 378.62 કરોડ અને ખાનગી જમીન ખાલી કરાવી તેની જંત્રી કિંમત 320 કરોડ થવા જાય છે.

ABOUT THE AUTHOR

...view details