અમદાવાદના જે.ડી.નગરવાલા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા 'રન ફોર યુનિટી'માં અમદાવાદ પોલીસના જવાનો તથા જાહેર જનતાએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપી હતી. સાથે જ 'રન ફોર યુનિટી'ની શરૂ કર્યા પહેલા અમદાવાદના મેયર બીજલ પટેલે ઉપસ્થિત લોકો પાસે એકતાના શપથ લેવડાવ્યા હતા. તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું હતું.
અમદાવાદમાં CM રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું
અમદાવાદ: સરદાર પટેલની પ્રતિમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' દેશને અર્પણ કરી 31 ઓક્ટોબરને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે જાહેર કર્યો હતો. જેના અંતર્ગત અમદાવાદના જે.ડી.નાગરવાલા પોલીસ સ્ટેડિયમમાં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કર્યું હતું.
'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે યોજાયેલ 'રન ફોર યુનિટી'માં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના નિઝામથી લઇને જૂનાગઢના નિઝામ તથા તમામ રાજા રજવાડાઓને એક કર્યાં હતા.
અમદાવાદનો જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલ 'રન ફોર યુનિટી'ના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, અમદાવાદ ગ્રામ્ય SP આર.વી.અસારી, અમદાવાદ મ્યુનિસિપલ મેયર બીજલ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ હાજર રહ્યા હતા.
સરદાર પટેલ ની પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જ્યારે ગત વર્ષ 31 ઓક્ટોબર 2018 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશને અર્પણ કરી હતી. જ્યારે ગત વર્ષે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧ ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતો. આમ આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ તમામ મોટા મથકો ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના જે. ડી નાગરવાલા પોલીસ સ્ટેડિયમમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કર્યું હતું.
Body:અમદાવાદના જે.ડી નગરવાલા સ્ટેડિયમ ખાતે યોજાયેલી રન ફોર યુનિટીમાં અમદાવાદ પોલીસની જવાનો તથા જાહેર જનતા પાર્ટીમાં જોડાઇ ને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ રન ફોર યુનિટી ની શરૂઆત થાય તે પહેલા અમદાવાદના મેયર બીજલ પટેલ તમામ લોકો પાસેથી એકતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ રાજા રજવાડાઓ ને એકઠા કર્યા હતા તે પછી હૈદરાબાદના નિઝામ હોય કે જૂનાગઢના નિઝામ હોય સરદાર વલ્લભભાઈ પટેલે તમામ રાજા રજવાડાઓ ને એકઠા કર્યા હતા ત્યારે ગુજરાતમાં તેમના સન્માન માટે એક સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું અને ગત વર્ષે દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી આપવામાં આવી આમ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો મહત્વનો રહ્યો હતો જ્યારે દેશમાં અનેક ધર્મ અને જાતિ અનેક પ્રાંત આવેલા છે તેને એક કરવા તે પણ મહત્વનું છે.
આમ સમગ્ર દેશમાં ધંધો યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી ખાતે રન ફોર યુનિટી ના કાર્યક્રમમાં હાજર રખાયા હોવાનું પણ રાજ્યના મુખ્ય પ્રધાન તો વિજય રૂપાણીએ જણાવ્યું હતું..
બાઈટ...
વિજય રૂપાણી મુખ્યપ્રધાન
પ્રદીપસિંહ જાડેજા રાજ્યકક્ષા ના ગૃહપ્રધાન (સ્પીચ આપી છે)
Conclusion:અમદાવાદનો જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે યોજાયેલી રન ફોર યુનિટીના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અમદાવાદ ગ્રામ્ય એસપી આર.વી અસારી, અમદાવાદ મ્યુનિસિપલ નિયર બીજલ પટેલ, અમદાવાદ પશ્ચિમ ના સાંસદ ડોકટર. કિરીટ સોલંકી તથા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ હાજર રહ્યા હતા.