અમદાવાદ- દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાના (Bhagvan Jagannath Rathyatra )ગણતરીના દિવસો બાકી છે. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે ત્યારે મંદિર અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના જમાલપુર ખાતે ભગવાનની રથયાત્રાને (Ahmedabad Jagannath Temple) લઈને તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા (Ahmedabad Jagannath Temple Trustee Mahendra Zha ) સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
જવાબ :ભગવાન જગન્નાથની રથયાત્રા 1 જુલાઈના રોજ (145th Rathyatra of Bhagvan Jagannath) નીકળવાની છે ત્યારે તે રથયાત્રા (Bhagvan Jagannath Rathyatra )પૂર્વે અનેક કાર્યક્રમો અને પ્રસંગો હોય છે. જેમાં ચંદનયાત્રા, જળયાત્રા,ભગવાન જગન્નાથનું મોસાળું ભરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ અમાસના દિવસે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાંથી આવેલ સાધુસંતોનું સન્માન કરવામાં આવશે. 30 તારીખના રોજ વર્ષમાં એકવાર સોનાના આભૂષણ ચઢાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજાવિધિ થશે. એકમના દિવસે મુખ્યપ્રધાન રથયાત્રાની શુભેચ્છા આપવા આવશે.
પ્રશ્ન : ભગવાન જગન્નાથને રથયાત્રા શરૂઆત પહેલા ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે. તો ખીચડી ધરવાનું મહત્વ શું છે?
જવાબ : રથયાત્રાના દિવસે સવારે વહેલા 4 વાગે મંગળા આરતી થાય છે. ત્યાર બાદ ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવે છે. કારણે કે એવું કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરે ફળ ખાવાથી આંખો આવી ગઈ હોવાથી નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. તે દિવસે વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવે છે. ભગવાન બીમાર છે એવા ભાવથી ખીચડીનો પ્રસાદ ધરવામાં આવે છે અને તે દિવસ શુકનના ભાગરૂપે દહીંનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે.
પ્રશ્ન : અમદાવાદ હેરિટેજ શહેર છે. જો આ વખતે કેટલા ટ્રક હશે. તેમાં શુ ખાસ અલગ જોવા મળશે?
જવાબ :આ વખતની રથયાત્રામાં ધાર્મિક, રાજકીય, રાષ્ટ્રીય ઝાંખી શણગારેલા ટ્રકો જોવા મળી આવે છે.101 ટ્રકમાં કેદારનાથ, અમરનાથ, કેદારનાથ, રામમંદિરના ટેબ્લો જોવા મળી આવશે. રથયાત્રામાં અલગ અલગ વેશભૂષા, 30 અખાડા,18 ભજન મંડળી અને 3 બેન્ડવાજાવાળા પણ હાજર રહેશે.
પ્રશ્ન : શહેરના નહીં પણ સમગ્ર ગુજરાતથી શ્રદ્ધાળુ આવે છે તો કેટલા કિલો પ્રસાદ વહેંચણી કરવામાં આવશે?
જવાબ : શ્રદ્ધાળુ માટે મંદિર તરફથી 30000 વધુ કિલો મગ,500 કિલો જાંબુ,300 કિલો કેરી,400 કિલો કાકડી,અને 2 લાખ ઉપરણાંનો પ્રસાદ દરેક શ્રદ્ધાળુને આપવામાં આવશે.