ગુજરાત

gujarat

અમદાવાદમાં ગમે તે સંજોગોમાં રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી માગણી સાથે AHPએ નોંધાવ્યો વિરોધ

By

Published : Jun 22, 2020, 1:58 PM IST

જગન્નાથ મંદિરથી 143મી રથયાત્રા ન યોજવાના ગુજરાત હાઈકોર્ટનાં હુકમ બાદ પણ રથયાત્રા થવી જોઇએ તેવી માગણી જોરશોરથી થઈ રહી છે. આ માગણી સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના પ્રદેશ મંત્રી નિકુંજ પારેખ સહિતના કાર્યકરોએ આવી માગણી કરી છે.

અમદાવાદમાં ગમે તે સંજોગોમાં રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી માગણી સાથે AHPએ નોંધાવ્યો વિરોધ
અમદાવાદમાં ગમે તે સંજોગોમાં રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી માગણી સાથે AHPએ નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ આજે જગન્નાથ મંદિર ખાતે સવારે 10.30 વાગ્યે દિલીપદાસજી મહારાજને રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી રજૂઆત કરવા એએચપીના કાર્યકરો જવાના હતાં. જો કે પોલીસે ગત રાતથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રદેશ મંત્રી સહિત 6 લોકોને ડિટેઈન કર્યા હતાં તેમ જ સવારથી અર્જુન આશ્રમ ખાતે 200 જેટલી પોલીસની ફોજ ખડકી દેવાઈ છે.નિકુંજ પારેખે એવો દાવો કર્યો છે કે, ભલે પોલીસે અમને ડિટેઇન કર્યા પણ અમારી બીજી ટીમો આજનો કાર્યક્રમ પર પાડશે અને આવતીકાલે રથયાત્રા પણ નીકળશે. પોલીસે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાંદલોડિયા અર્જુન આશ્રમ ખાતે કેટલાંક કાર્યકરો એકત્ર થયાની વિગત મળતા પોલીસ કાફલો આશ્રમ પર ખડકી દેવાયો છે.

અમદાવાદમાં ગમે તે સંજોગોમાં રથયાત્રા યોજાવી જ જોઇએ તેવી માગણી સાથે AHPએ નોંધાવ્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે 142 વર્ષમાં પ્રથમ વાર ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં યોજાય. અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચૂકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહીં કાઢવા માટેનો આદેશ અપાયો હતો. કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાર બાદ ગઇ કાલે સાંજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા અને અમદાવાદ સીપી સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજીએ ભાવુક થઈને જણાવ્યું કે આ વખતે મંદિર રથયાત્રા કાઢશે નહીં. માત્ર મંદિરમાં પૂજા અને અર્ચના કરવામાં આવશે. તો તેઓએ એમ પણ જણાવ્યું હતું કે પહિંદ વિધિ માટે સીએમ રૂપાણી અને ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ પાઠવવામાં આવશે. લોકો ઘેર બેસીને દર્શન કરી શકે તેવી રીતે ભક્તોને દર્શન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અષાઢી બીજનાં દિવસે મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવશે અને રથને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. રથયાત્રા રદ કરવાનો નિર્ણય કહેતાં મહંત દિલીપદાસજી ભાવુક થઈ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details