અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ
અનલોક-1 શરૂ થયું છે ત્યારે હવે ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી આપવામાં આવે છે. અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવતું હોવાથી હજુ ખોલવામાં આવ્યું નથી. પરંતુ 15 જૂનથી શરૂ કરવામાં આવશે. તે પહેલાં મંદિર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને અન્ય નિયમોનું પાલન થાય તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદઃ ધાર્મિક સ્થળ ખુલતાં રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પણ સાદાઈથી યોજવવાની છે પરંતુ હજુ સુધી જગન્નાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું નથી. મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં અને મંદિર બહાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિર બહાર કેટલાક ફૂટના અંતરે ગોળ કુંડાળા બનાવવામાં આવ્યાં છે જેમાં દર્શન માટે આવતાં ભક્તોને ઊભા રહેવા કહેવાશે.