ગુજરાત

gujarat

Uddhav Thackeray Criticized PM : વિપક્ષી ગઠબંધન અંગે PM મોદીની ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ પલટવાર કર્યો

By

Published : Aug 7, 2023, 9:45 PM IST

Updated : Aug 7, 2023, 9:50 PM IST

વિપક્ષી ગઠબંધન પર મોદીની ટિપ્પણી ઉપર ઉદ્ધવ ઠાકરેએ પલટવાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી યારામની પાર્ટી બની ગઈ છે. ઉપરાંત ખૂબ જ જલ્દી અયારામ મંદિર બનશે. ઉપરાંત તેઓએ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની કથિત ઔરંગઝેબના પુત્ર ટિપ્પણી માટે પણ નિશાન બનાવ્યા હતા.

Uddhav Thackeray Criticized PM
Uddhav Thackeray Criticized PM

મુંબઈ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષી ગઠબંધનને ભારત નામ આપવા પર નિશાન સાધવામાં આવ્યું હતું. ત્યારે શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી બદલ ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT) અને સંભાજી બ્રિગેડના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ભારત ગઠબંધનમાં એવા પક્ષોનો સમાવેશ થાય છે જે લોકશાહી અને આઝાદીને છીનવી લેનારાઓનો વિરોધ કરે છે. વિપક્ષી ગઠબંધન અંગે મોદીની ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ પલટવાર કર્યો છે.

PM મોદીની ટિપ્પણી : ઉલ્લેખનિય છે કે, નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધનનું નામ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવું હોવાને લઈને પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષી ગઠબંધનની વડાપ્રધાનની ટીકાનો ઉલ્લેખ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, માત્ર દેશનું નામ ઉપયોગ કરવાથી લોકો ભરમાશે અથવા ગેરમાર્ગે દોરાશે નહીં. અન્ય પક્ષોના નેતાઓને સામેલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ આયારામ એટલે કે પક્ષ બદલતા લોકોની પાર્ટી બની ગઈ છે. થોડા સમયમાં અયારામ મંદિરનું નિર્માણ કરશે.

વડાપ્રધાન મોદી જ્યારે વિદેશમાં વિદેશી નેતાઓને મળે છે ત્યારે અમને ગર્વ થાય છે. શું તમે તેમને ઈન્ડીયાના વડાપ્રધાન તરીકે મળો છો કે, ઈન્ડિયન મુજાહિદ્દીનના મુખ્યપ્રધાન તરીકે મળો છો?--ઉદ્ધવ ઠાકરે (નેતા, શિવસેના)

ઠાકરેનો પલટવાર :તેમણે એક મીડિયા રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, મોદીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના (NDA) સાંસદોને મુસ્લિમ મહિલાઓ પાસે રાખડી બંધાવવા માટે કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જો તમારામાં હિંમત હોય તો મણિપુરમાં જાહેરમાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવાના કિસ્સામાં અને બિલકિસ બાનો કેસ, 2002ના ગુજરાત રમખાણોના ગેંગ રેપ પીડિતાને પણ રાખડી બાંધો. તેમણે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની કથિત ઔરંગઝેબના પુત્ર ટિપ્પણી માટે પણ નિશાન બનાવ્યા હતા.

  1. અમે ટૂંક સમયમાં મહાનગર મુંબઈ પાછા ફરીશુંઃ એકનાથ શિંદે
  2. શિવસેનામાં તિરાડ: ઉદ્ધવ ઠાકરેથી નારાજ થયેલા ધારાસભ્યો રાતોરાત સુરત આવ્યા, જુઓ વીડિયો
Last Updated : Aug 7, 2023, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details