ગુજરાત

gujarat

દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ, 153Aની લગાવાઈ કલમ

By

Published : Jun 12, 2022, 2:25 PM IST

શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં પ્રદર્શનના ( Jama Masjid protest case) સંબંધમાં નોંધાયેલી FIRમાં પોલીસે IPCની કલમ 153A પણ ઉમેરી છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્યાં બનાવેલા વીડિયો પરથી વિરોધ (Protest Against Nupur Sharma ) કરી રહેલા પાંચ આરોપીઓની ઓળખ કરી હતી. જે પૈકી બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ
દિલ્હીની જામા મસ્જિદ પર પ્રદર્શન મામલે બે આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ જામા મસ્જિદમાં શુક્રવારે થયેલા વિરોધ પ્રદર્શનના (Jama Masjid protest case) સંદર્ભમાં નોંધાયેલી FIRમાં પોલીસે IPCની કલમ 153A પણ ઉમેરી છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્યાં બનાવેલા વીડિયો પરથી વિરોધ કરી રહેલા 5 આરોપીઓની ઓળખ કરી હતી. જેમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી (Protest Against Nupur Sharma ) છે. તે જ સમયે, અન્ય ત્રણ આરોપીઓની શોધ ચાલુ છે. વિરોધ પ્રદર્શનમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો :Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

નમાજ બાદ લોકો રસ્તા પર : મળતી માહિતી મુજબ, જામા મસ્જિદમાં શુક્રવારે બપોરની નમાજ પઢવામાં આવી હતી. નમાજ બાદ ત્યાં હાજર કેટલાક લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર (nupur Sharma controversy statement ) કર્યા અને તેમની ધરપકડની માંગ કરી હતી. લગભગ 15 મિનિટ સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રસ્તો સાફ કરાવ્યો હતો. આ બાદ, પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે મધ્ય જિલ્લા ડીસીપી શ્વેતા ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અંગે તેણે આઈપીસીની કલમ 188 હેઠળ એફઆઈઆર પણ નોંધાવી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં નુપુર શર્માને લઇને ફરી વખત આ શહેરમાં જોવા મળ્યો વિરોધ

IPCની કલમ 153A મુજબ ફરિયાદ :ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, શનિવારે આ કેસમાં 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તેમની શોધમાં પોલીસ ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, અન્ય આરોપીઓની ઓળખ માટે પણ પ્રયાસો ચાલુ છે. બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે આ FIRમાં IPCની કલમ 153A પણ ઉમેરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં પોલીસ પોસ્ટર બનાવનારા લોકોની પણ માહિતી એકઠી કરી રહી છે. તેને છાપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેના બાતમીદારો પાસેથી પણ આ પ્રદર્શનની માહિતી એકઠી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details