ગુજરાત

gujarat

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર

By

Published : Apr 24, 2022, 7:33 PM IST

પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી (Encounter in Kashmir) આપતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં જવાનો દ્વારા લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓને (Three militants killed in Pulwama encounter)ઠાર કરવામાં આવ્યા છે.

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર
પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Three militants killed in Pulwama encounter) ચાલી રહી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ પહુ વિસ્તારમાં આતંકીઓને ઘેરી (Encounter in Kashmir) લીધા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.

આ પણ વાંચો:Acharya pre-release event: રાજામૌલીએ આચાર્ય પ્રી રીલીઝ ઈવેન્ટમાં ચિરંજીવી માટે કહી મોટી વાત

પોલીસ ટીમ પર ગોળીબાર: બાતમીદારો દ્વારા મળેલી બાતમીના આધારે, સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળોએ પોલીસની સાથે ઓળખાયેલા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ફાયરિંગ શરૂ કરી દીધું.

એન્કાઉન્ટર ચાલુ:સેનાના અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઈ. અધિકારીએ જણાવ્યું ,કે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે એન્કાઉન્ટર ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:sidharth kiara breakup: બ્રેકઅપ વચ્ચે સિદ્ધાર્થ-કિયારાએ શેર કરી આ પોસ્ટ!

ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા:પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી આપતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ફસાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન તેણે ગભરાઈને સૈનિકો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને ત્રણેય આતંકીઓને નરકનો રસ્તો બતાવ્યો.

ABOUT THE AUTHOR

...view details