ગુજરાત

gujarat

આપણી સામે AI ના નૈતિક ઉપયોગને લઈને મૌલિક પ્રશ્ન છે : CJI

By PTI

Published : Nov 25, 2023, 5:30 PM IST

Updated : Nov 25, 2023, 6:04 PM IST

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાને પરંપરાગત રીતે વ્યક્તિના પસંદગીના અધિકારમાં સરકારની બિન-દખલગીરી તરીકે સમજવામાં આવે છે. પરંતુ સમકાલીન વિદ્વાનો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે સામાજિક પૂર્વગ્રહો અને પદાનુક્રમને જાળવવામાં સરકારની ભૂમિકાને અવગણી શકાય નહીં. The Law Association for Asia and the Pacific, CJI Chandrachud

CJI
CJI

બેંગલોર : CJI ડી.વાય. ચંદ્રચુડે 36 મી ધ લો એસોસિએશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (LAWASIA) કોન્ફરન્સના સત્રને ડિજિટલ માધ્યમ દ્વારા સંબોધિત કરતી વખતે ઓળખ, વ્યક્તિ અને સરકાર - સ્વતંત્રતાના નવા માર્ગો વિષય પર વાત કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, વ્યક્તિની ઓળખ અને સરકાર દ્વારા તેને આપવામાં આવેલી માન્યતા તેને મળતા સંસાધનો અને ફરિયાદ કરવાની અને તેના અધિકારની માંગ કરવાની તેની ક્ષમતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૃત્રિમ મેઘાના યુગમાં આપણે આ તકનીકોના નૈતિક ઉપયોગને લગતા મૌલિક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ.

LAWASIA વકીલો, ન્યાયાધીશો, ન્યાયશાસ્ત્રી અને કાનૂની સંસ્થાઓનું પ્રાદેશિક સંગઠન છે. જે એશિયા પેસિફિક કાનૂની પ્રગતિના હિત અને ચિંતાઓની હિમાયત કરે છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુ઼ડે કહ્યું કે, સ્વતંત્રતા પોતાના માટે નિર્ણય લેવાની અને વ્યક્તિના જીવનની દિશા બદલવાની ક્ષમતા આપે છે. સરકાર અને સ્વતંત્રતા વચ્ચેના સંબંધને વ્યાપકપણે સમજવામાં આવે છે, પરંતુ ઓળખ અને સ્વતંત્રતા વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા અને સમજાવવાનું કામ હજુ અધૂરું છે.

CJI ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, સ્વતંત્રતાને પરંપરાગત રીતે વ્યક્તિના પસંદગીના અધિકારમાં સરકારની બિન-દખલગીરી તરીકે સમજવામાં આવે છે. પરંતુ સમકાલીન વિદ્વાનો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે સામાજિક પૂર્વગ્રહો અને પદાનુક્રમને જાળવવામાં સરકારની ભૂમિકાને અવગણી શકાય નહીં. વાસ્તવમાં જો સરકાર હસ્તક્ષેપ ન કરે પરંતુ તે સામાજિક અને આર્થિક રીતે મજબૂત સમુદાયોને ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયો પર પ્રભુત્વ સ્થાપિત કરવાની મંજૂરી આપે છે.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું હતું કે, જે લોકો તેમની જાતિ, નસ્લ, ધર્મ અથવા લિંગને કારણે હાંસિયામાં ધકેલાઇ ગયા છે તેઓને હંમેશા પરંપરાગત, ઉદારવાદી પ્રણાલીમાં હંમેશા ઉત્પીડનનો સામનો કરવો પડશે અને તે સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા લોકોને સશક્ત બનાવે છે. તેમણે એ વિશે પણ વાત કરી કે કેવી રીતે ડિજિટલ યુગમાં આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત ઘણા રસપ્રદ પાસાઓનો સામનો કરી રહ્યા છીએ. આ ટેક્નોલોજીના નૈતિક ઉપયોગને લઈને આપણી સામે મૌલિક પ્રશ્નો છે.

  1. દિલ્હીના મુખ્ય સચિવની નિમણૂક માટે LG અને CM કેમ ચર્ચા કરી શકતા નથી: SC
  2. અપ્રમાણસર સંપત્તિ કેસમાં SCએ આંધ્રના CM જગન મોહન રેડ્ડી અને CBIને નોટિસ ફટકારી
Last Updated : Nov 25, 2023, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details