મુંબઈ: ભારતીય મહેસૂલ સેવા (IRS- Indian Revenue Service officer) અધિકારી સમીર વાનખેડેનો(sameer wankhede tenure) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં વિવાદાસ્પદ કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થશે(Sameer Wankhede eventful NCB stint to end on December 31) તેવી માહિતી મળી રહી છે. વાનખેડે, IRS ના 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી, સપ્ટેમ્બર 2020 થી NCBમાં પ્રતિનિયુક્તિ પર છે અને એન્ટી-ડ્રગ્સ એજન્સીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર છે. આ પહેલા તેઓ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સમાં(DRI) હતા.
વાનખેડે સુશાંતની આત્મહત્યા સામેની કાર્યવાહીમાં સામેલ હતા
NCBના ઝોનલ ડિરેક્ટર(Zonal Director of NCB) તરીકે, વાનખેડે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાદ ડ્રગ સિન્ડિકેટ સામેની કાર્યવાહીમાં સામેલ હતા. આ સિન્ડિકેટમાં કથિત રીતે બોલિવૂડ કલાકારો સામેલ છે.
આ વર્ષે ઑક્ટોબરમાં, વાનખેડેની આગેવાની હેઠળની ટીમે, મુંબઈના દરિયાકાંઠે ક્રૂઝ જહાજ પર દરોડા(Raids on a cruise ship off the coast of Mumbai) દરમિયાન, કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરવાનો અને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ પાછળથી દરોડા દરમિયાન NCB દ્વારા ઉપયોગમાં લેવાતા સ્વતંત્ર સાક્ષીઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે NCB અધિકારીઓએ શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
વાનખેડે મુસ્લિમ પરિવારમાં જન્મ્યાઃ નવાબ મલિક