ગુજરાત

gujarat

રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે

By

Published : Oct 7, 2021, 7:02 AM IST

રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું પ્રતિનિધિમંડળ રવિવારે રાત્રે ફાટી નીકળેલી હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિમંડળના નેતાઓ ગુરુવારે બહરાઇચની મુલાકાત લેશે કારણ કે ચાર મૃત ખેડૂતોમાંથી બે બહરાઇચના રહેવાસી હતા.

  • હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા
  • કોંગ્રેસના નેતાઓ ચોખરા ફાર્મ ખાતે ખેડૂત નિવાસ સ્થાને પહોંચ્યા હતા
  • હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા

લખીમપુર ખેરી: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સૌપ્રથમ પાલિયા તહસીલ પહોંચ્યું હતું, અને ખેડૂત લવપ્રીત સિંહના પરિવારને મળ્યું હતું, જે ચાર ખેડૂતોમાં માર્યા ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કહ્યું કે, તે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળી હતી અને તેમણે માત્ર એક જ વાત કહી હતી કે તેમને વળતરની ચિંતા નથી. તે ન્યાય ઈચ્છે છે. જ્યાં સુધી પ્રધાન (ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા) રાજીનામું ન આપે ત્યાં સુધી ન્યાય આપી શકાતો નથી. કારણ કે તેમના વિના નિષ્પક્ષ તપાસ થઈ શકતી નથી.

આશિષ મિશ્રાની ધરપકડ કરવાની પ્રિયંકાએ માંગ કરી

મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ ન કરવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે આપણે FIR વગર અને કોઈ આદેશ વગર ધરપકડ કરી શકીએ છીએ, તો પછી આપણે ગુનેગારોની ધરપકડ કેમ નથી કરતા? આ દરમિયાન, રાહુલ ગાંધીએ લવપ્રીતના પરિવારને મળ્યા બાદ ટ્વિટ કર્યું કે, તેમણે શહીદ લવપ્રીતના પરિવાર સાથે તેમનું દુ:ખ શેર કર્યું છે, પરંતુ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સત્યાગ્રહ ચાલુ રહેશે. લવપ્રીત, તમારું બલિદાન ભૂલશો નહીં.

રાહુલ અને પ્રિયંકાએ લવપ્રીતના સંબંધીઓને ગળે લગાવી સાંત્વના આપી

કોંગ્રેસના નેતાઓ ચોખરા ફાર્મ ખાતે ખેડૂત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે શોકગ્રસ્ત પરિવાર સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. રાહુલ અને પ્રિયંકાએ લવપ્રીતના સંબંધીઓને ગળે લગાવી સાંત્વના આપી હતી. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યપ્રઘાન ચરણજીત સિંહ ચન્ની પણ સામેલ હતા. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડા પણ સામેલ હતા.

હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા

રાહુલ અને પ્રિયંકાએ હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના સંબંધીઓને પણ મળ્યા હતા. જે બાદ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પત્રકાર રમણ કશ્યપના પરિવારને મળવા માટે નિખાસન, લખીમપુર ખેરી પહોંચ્યા. કશ્યમના પિતાએ કહ્યું કે, તે કાર દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો અને જો સરકારે કલાકો સુધી ગુનાહિત બેદરકારી દાખવી ન હોત તો તેનો જીવ બચી શક્યો હોત.

પ્રતિનિધિમંડળ પીડિતોના પરિવારોને મળવા પહોંચ્યું

પ્રતિનિધિમંડળ ધૌરહરા ખાતે મોડી રાત્રે હિંસાનો શિકાર બનેલા અન્ય ખેડૂત નચતાર સિંહના ઘરે પહોંચ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રતિનિધિમંડળ બુધવારે કેટલાક પીડિતોના પરિવારોને મળ્યું અને બાકીનાને ગુરુવારે મળશે. સીતાપુરના PAC ગેસ્ટ હાઉસમાં પ્રિયંકા ગાંધીને સોમવારે સવારથી જ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, તે મુક્ત થતાં જ લખીમપુર જવા રવાના થશે. તેણીને બુધવારે બપોરે કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી હતી, ત્યારબાદ તે રાહુલ અને અન્ય નેતાઓ સાથે લખીમપુર જવા રવાના થઈ હતી.

બહરાઈચની મુલાકાતે જવા રવાના

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના પ્રવક્તા અંશુ અવસ્થીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ બુધવારે મોડી રાત્રે લખનૌ પરત ફરશે. તેઓ ગુરુવારે બહરાઈચની મુલાકાતે જવાના છે. કારણ કે, માર્યા ગયેલા ચાર ખેડૂતોમાંથી બે બહરાઈચના હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની લખીમપુર મુલાકાત પહેલા ખેડૂતોના વિરોધ દરમિયાન 3 ઓક્ટોબરે ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે, આ ઘટનામાં એક XUV એ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા જે ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા.

હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી

ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કથિત રીતે બે ભાજપના કાર્યકરો અને એક ડ્રાઈવરને માર માર્યો હતો, જ્યારે એક સ્થાનિક પત્રકારે પણ હિંસા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને અન્યો સામે હત્યાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો :lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા

આ પણ વાંચો :સ્વામિત્વ યોજનાને PM મોદીએ ગણાવી વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર, લાભાર્થીઓ સાથે કરી વાતચીત

ABOUT THE AUTHOR

...view details