સ્વામિત્વ યોજનાને PM મોદીએ ગણાવી વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર, લાભાર્થીઓ સાથે કરી વાતચીત

author img

By

Published : Oct 6, 2021, 4:27 PM IST

સ્વામિત્વ યોજનાને PM મોદીએ ગણાવી વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર

વડાપ્રધાન મોદી (PM Modi)એ સ્વામિત્વ યોજના (Swamitva Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે સ્વામિત્વ કાર્ડ (Swamitva Yojana)ને સમૃદ્ધિનું સાથે અને વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર ગણાવ્યું. PM મોદીએ જણાવ્યું કે, લોકો ડિજી લોકરના માધ્યમથી પોતાના મોબાઇલ પર પોતાનું પ્રોપર્ટીકાર્ડ (Property Card) ડાઉનલોડ પણ કરી શકે છે.

  • સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કરી વાતચીત
  • મધ્ય પ્રદેશના 1.70 લાખથી વધારે પરિવારોને મળ્યું છે પ્રોપર્ટી કાર્ડ
  • વડાપ્રધાન મોદીએ પ્રોપર્ટી કાર્ડને ગણાવ્યું સમૃદ્ધિનું સાથી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્ય પ્રદેશના સ્વામિત્વ યોજના (Swamitva Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, "મધ્ય પ્રદેશના 3,000 ગામોના 1.70 લાખથી વધારે પરિવારોને મળેલું પ્રોપર્ટી કાર્ડ તેમની સમૃદ્ધિનું સાથી બનશે. આ લોકો ડિજી લોકરના માધ્યમથી પોતાના મોબાઇલ પર પોતાનું પ્રોપર્ટીકાર્ડ ડાઉનલોડ પણ કરી શકે છે."

22 લાખ પરિવારો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર

PMએ કહ્યું કે, "આપણે ટીવી પર જોઇએ છીએ કે MP છે, તો ગજબ છે. MP ગજબ તો છે જ, MP દેશનું ગૌરવ પણ છે. MPમાં ગતિ પણ છે અને MPમાં વિકાસની ઉત્સુકતા પણ છે. લોકોના હિતમાં કોઈ યોજના બને છે તો મધ્ય પ્રદેશમાં એ યોજનાને જમીન પર ઉતારવા માટે દિવસ-રાત એક કરી દેવામાં આવે છે." તેમણે કહ્યું કે, "શરૂઆતના તબક્કાઓમાં સ્વામિત્વ યોજનાને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોમાં ગામોમાં રહેનારા લગભગ 22 લાખ પરિવારો માટે પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂક્યું છે."

કોરોનામાં ભારતના ગામડાઓએ એક લક્ષ્ય પર કામ કર્યું

પીએમ મોદીએ કહ્યું કે, "આપણે કોરોનાકાળમાં જોયું કે કેવી રીતે ભારતના ગામોએ મળીને એક લક્ષ્ય પર કામ કર્યું. ઘણી સતર્કતા સાથે આ મહામારીનો મુકાબલો કર્યો. બહારથી આવેલા લોકો માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય, ભોજન અને કામની વ્યવસ્થા હોય, વેક્સિનેશનથી જોડાયેલા કામ હોય, ભારતના ગામડાઓ ઘણા આગળ રહ્યા."

સ્વામિત્વ યોજના વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "દેશના ગામડાઓને, ગામડાઓની પ્રોપર્ટીને, જમીન અને ઘરથી જોડાયેલા રેકૉર્ડ્સને અનિશ્ચિતતા અને અવિશ્વાસથી નીકળવું જરૂરી છે. આ કારણે PM સ્વામિત્વ યોજના ગામના આપણા ભાઇઓ અને બહેનોની ઘણી મોટી તાકાત બનવા જઈ રહ્યા છે. સ્વામિત્વ યોજના ફક્ત કાયદાકીય પુરાવા આપવાની યોજના નથી, પરંતુ આ આધુનિક ટેકનોલોજીથી દેશના ગામોમાં વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર પણ છે. આ જે ગામ-મહોલ્લામાં ડ્રોન ઉડી રહ્યા છે એ ભારતના ગામડાઓને નવી ઊંચાઈ આપવાના છે."

ગરીબે કોઈ સામે હાથ ફેલાવો ન પડે એ માટે પ્રયત્નો કર્યા

તેમણે કહ્યું કે, "છેલ્લા 6-7 વર્ષોના અમારી સરકારના પ્રયત્નો જોઇએ તો અમે પ્રયત્ન કર્યો છે કે ગરીબે કોઈ ત્રીજા વ્યક્તિની સામે હાથ ન ફેલાવો પડે. આજે ખેતીની નાની નાની જરૂરિયાતો માટે PM કિસાન સન્માન નિધિ હેઠળ સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે."

આ પણ વાંચો: આખા દેશમાં ખેડૂતો પર યોજનાબદ્ધ આક્રમણ થઈ રહ્યું છે, અમારી શું ભૂલ છે કે અમને લખીમપુર જતાં અટકાવવામાં આવી રહ્યા છે? : રાહુલ ગાંધી

આ પણ વાંચો: NEET SS 2021: આવતા વર્ષે પેટર્નમાં થશે ફેરફાર, Supreme Courtની ઝાટકણી પછી કેન્દ્ર સરકારે કર્યો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.