lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા

author img

By

Published : Oct 6, 2021, 4:20 PM IST

Updated : Oct 6, 2021, 9:29 PM IST

lakhimpur Kheri Violence

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લખીમપુર ખેરી પહોંચ્યા છે, તેમની સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યપ્રધાન પણ હાજર છે. આ અગાઉ રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટ પર ધરણા પર બેઠા હતા, જ્યારે વહીવટીતંત્રે તેમને પોલીસ કારમાં લખીમપુર ખેરી (lakhimpur Kheri Violence) જવાનું કહ્યું હતું, પરંતુ રાહુલે કહ્યું કે જો તે જશે તો તે પોતાની કારમાં જ જશે.

  • ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થેયલી હિંસાનો મામલો
  • યોગી સરકારે કોંગ્રેસના નેતાઓને લખીમપુર ખીરી જવા આપી મંજૂરી
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ અને ચરણજિત સિંહ ચન્ની લખીમપુર ખીરી જવા રવાના

લખનઉ, ઉત્તરપ્રદેશ: કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ અને ચરણજીત ચન્ની લખીમપુર ખેરી હિંસા (lakhimpur Kheri Violence) માં જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારો (Family of Farmers)ને મળવા લખીમપુર ખેરી પહોંચી ગયી છે. ઉલ્લેખનીય છે, રાજ્ય સરકારે તેમને લખીમપુર ખેરી જવાની પરવાનગી પણ આપી છે, પરંતુ તમામ નેતાઓને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જોકે, તેઓ હમણાં જ એરપોર્ટની બહાર નીકળ્યા છે. હાલ રાહુલ ગાંધી સીતાપુર પહોંચ્યા છે અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હાલ તેઓ તમામ નેતાઓ લખીમપુર ખેરી પહોંચી ગયા છે.

આવતી કાલે 7 ઓક્ટોબરના દિવસે લખીમપુર ખેરી હિંસા મામલે સુપ્રિમ કોર્ટમાં સુઓમોટો સુનાવણી હાથ ધરાશે

  • Supreme Court takes suo motu cognisance of Lakhimpur Kheri violence

    A bench of Chief Justice NV Ramana and Justices Surya Kant and Hima Kohli will hear the matter tomorrow pic.twitter.com/034N5TPAzt

    — ANI (@ANI) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ પહોંચ્યા લખીમપુર ખેરી

  • #WATCH उत्तर प्रदेश: राहुल गांधी कांग्रेस प्रतिनिधिमंडल के साथ लखीमपुर खीरी पहुंचे। pic.twitter.com/kTa5Zkinyp

    — ANI_HindiNews (@AHindinews) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળવા ગેસ્ટ હાઉસની બહાર કાર્યકર્તાઓની ભીડ

  • #WATCH उत्तर प्रदेश: कांग्रेस नेता राहुल गांधी और प्रियंका गांधी ने सीतापुर के गेस्ट हाउस के बाहर पार्टी के कार्यकर्ताओं से मुलाकात की। pic.twitter.com/CzPKfVRDiM

    — ANI_HindiNews (@AHindinews) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધી સીતાપુર પહોંચ્યા

સખનઉ એરપોર્ટથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનું પ્રતિનિધિની મંડળ સીતાપુર પ્રિયંકા ગાંધીને પાસે જવા રવાના થયા હતા, હાલ તેઓ સીતાપુર ખાતે પ્રિયંકા ગાંધીને મળ્યા છે અને થોડા જ સમયમાં પ્રિયંકા, રાહુલ ગાંધી સાથે અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ લખીમપુર ખીરી ખાતે જવા રવાના થશે.

  • उत्तर प्रदेश: राहुल गांधी के नेतृत्व में 5 सदस्यीय कांग्रेस प्रतिनिधिमंडल सीतापुर पहुंचे। pic.twitter.com/SlL2YjuJcO

    — ANI_HindiNews (@AHindinews) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા

રાહુલ ગાંધી પહેલા સીતાપુર જશે અને ત્યાંથી પ્રિયંકા સાથે લખીમપુર જશે. લખનઉ એરપોર્ટ પર પહોંચતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે અમારી કારમાં (લખીમપુર ખેરી) જવા માગીએ છીએ, પરંતુ તેઓ (પોલીસ) અમને તેમના વાહનમાં લઈ જવા માંગે છે. મેં તેમને કહ્યું કે, મને મારા વાહનમાં જવા દો. તેઓ કેટલીક યોજનાઓ બનાવી રહ્યા છે. હાલ હું અહીં બેઠો છું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લખનઉ એરપોર્ટ પર પોલીસ અધિકારીઓને પૂછ્યું, તમે કયા નિયમો હેઠળ નક્કી કરી રહ્યા છો કે હું કેવી રીતે જઈશ? ફક્ત મને નિયમો જણાવો.

રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી સીતાપુર જવા રવાના

લખીમપુર ખીરીની (lakhimpur Kheri Violence) ઘટના પછી રાજકીય માહોલ ગરમાયો

આ પહેલા ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વવાળા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને (Congressional delegation) લખીમપુર ખીરી વિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી નહતી આપી. લખીમપુર ખીરીના તિકોનિયા ક્ષેત્રમાં થયેલી હિંસામાં (lakhimpur Kheri Violence) 4 ખેડૂતો સહિત 8 લોકોના મૃત્યુ પછી રાજકીય માહોલ ગરમાયો છે.

સરકારે પહેલા કોંગ્રેસના નેતાઓને જવાની મંજૂરી નહતી આપી

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે (State Government) આ પહેલા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને લખીમપુર ખીરી જવાની મંજૂરી નહતી આપી. સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે (Cabinet Minister Siddharth Nath Singh) કહ્યું હતું કે, કોઈને પણ માહોલ બગાડવા માટે લખીમપુર ખીરી જવા દેવામાં નવી આવે. વાડ્રાને લખીમપુર ખીરીમાં ગયા રવિવારે થયેલી હિંસા પછી ત્યાં જતા સમયે રસ્તામાં સોમવારે સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

Last Updated :Oct 6, 2021, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.