ગુજરાત

gujarat

PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'ડિસ્પ્લે' તસવીર પર લગાવ્યો તિરંગો

By

Published : Aug 2, 2022, 2:26 PM IST

PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'ડિસ્પ્લે' તસવીર પર લગાવ્યો તિરંગો
PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'ડિસ્પ્લે' તસવીર પર લગાવ્યો તિરંગો ()

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના 'ડિસ્પ્લે' તસવીર પર 'ત્રિરંગો' લગાવવા છે. લોકોને પણ 'ડિસ્પ્લે' તસવીર પર 'ત્રિરંગો' (Har Ghar Tiranga) લગાવવાની વિનંતી કરી છે.

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રવિવારે તેમના 'મન કી બાત' (Man Ki Baat) કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) એક જન આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે અને લોકોને 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રોફાઇલ તસવીર તરીકે 'તિરંગા'નો ઉપયોગ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો:PM Modi visit Gujarat: સાબરમતી રિવર ફ્રન્ટ પર 7000 ચરખા કાંતવામાં આવશે, બનશે વિશ્વ રેકોર્ડ

PM મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટની 'ડિસ્પ્લે' તસવીર પર લગાવ્યો તિરંગો : વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, 'આજે 2 ઓગસ્ટનો દિવસ ખાસ છે. જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણો દેશ ત્રિરંગાને માન આપવાના સામૂહિક અભિયાનના ભાગરૂપે 'હર ઘર ત્રિરંગા' (Har Ghar Tiranga) માટે તૈયાર છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર) બદલ્યું છે અને હું તમને તે જ કરવા વિનંતી કરું છું.'

મોદીએ કહ્યું 'અમારો દેશ હંમેશા પિંગાલી વેંકૈયાનો ઋણી રહેશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યું કે, 'અમારો દેશ હંમેશા તેમનો ઋણી રહેશે કે તેમણે અમને ત્રિરંગો આપવાના પ્રયાસો કર્યા હતો. અમને અમારા ત્રિરંગા પર ખૂબ ગર્વ છે. હું ઈચ્છું છું કે, તિરંગામાંથી શક્તિ અને પ્રેરણા લઈને આપણે રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીએ.

આ પણ વાંચો:ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફરકાવ્યો ત્રિરંગો

ABOUT THE AUTHOR

...view details