ગુજરાત

gujarat

PM Modi Jaipur Visit : PM મોદીની જયપુર મુલાકાતને લઈ તૈયારી, ભાજપના વરિષ્ઠ નેતાઓએ સમીક્ષા બેઠક યોજી

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 4:42 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જયપુર મુલાકાતને લઈને ભાજપ મુખ્યાલયમાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગુરુવારના રોજ મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ વ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન એસપીજીની ટીમે પણ સુરક્ષા તપાસવા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

PM Modi Jaipur Visit
PM Modi Jaipur Visit

રાજસ્થાન :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી જયપુરના બે દિવસીય પ્રવાસ પર છે. વડાપ્રધાન DG-IG કોન્ફરન્સમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ વાતચીત કરશે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે સાંજે 5:00 વાગ્યે PM મોદી સાથે યોજાનારી બેઠકની તૈયારી કરવા માટે મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, સંગઠન મહાસચિવ ચંદ્રશેખર સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.

PM મોદીનો જયપુર પ્રવાસ :ભાજપના પ્રદેશ પ્રમુખ સીપી જોશીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન માટે આ ગૌરવની વાત છે કે વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢીને ભાજપ કાર્યાલયના પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે વાતચીત કરવા આવી રહ્યા છે. પીએમ મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર પાર્ટી કાર્યાલયની મુલાકાતે આવી રહ્યા છે. સમગ્ર જયપુરની સફાઈ કરવામાં આવી રહી છે. પીએમ મોદીની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહ વધારશે. પાર્ટીના દરેક નેતા અને કાર્યકર તેમના સૌથી લોકપ્રિય નેતાને મળવા ઈચ્છે છે. પાર્ટી કાર્યાલયમાં પીએમ મોદી પદાધિકારીઓ અને ધારાસભ્યોને મળશે તેથી ચોક્કસપણે પાર્ટીની અંદર વધુ એક નવો જોશ અને ઉત્સાહ જોવા મળશે.

લોકસભા ચૂંટણીને લઈને આપશે મંત્ર :

એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓ સાથે લગભગ 2 કલાક વાતચીત કરશે. આ દરમિયાન આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રની યોજનાઓને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પીએમ મોદી મંત્ર આપશે. સત્તા અને સંગઠન વચ્ચે સમન્વય સાથે સરકારની યોજનાઓ છેવાડા સુધી પહોંચે તે અંગે પણ પીએમ મોદી નિર્દેશ આપશે.

જોકે હજુ સુધી એ નક્કી નથી થયું કે પીએમ મોદી વન ટુ વન સંવાદ કરશે કે ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે તેમના સંબોધન દ્વારા વાત કરશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે, પીએમ મોદીના સરકારી કાર્યક્રમ વચ્ચે સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. એવું પણ માનવામાં આવે છે કે બેઠકમાં પીએમ મોદી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ વિશે પણ વાત કરી શકે છે. પાર્ટીની રણનીતિ છે કે 22 જાન્યુઆરી બાદ દેશભરમાંથી વધુમાં વધુ લોકોને અયોધ્યા લઈ જઈ શકાય.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : તમને જણાવી દઈએ કે જયપુરમાં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન DG-IG કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્યના તમામ ડીજી ઉપસ્થિત રહેશે. જોકે આ કોન્ફરન્સ ઝલના સ્થિત રાજસ્થાન ઈન્ફોર્મેશન સેન્ટરમાં યોજાશે. પરંતુ કોન્ફરન્સના એક દિવસ પહેલા જ પીએમ મોદી જયપુર આવી રહ્યા છે. પીએમ મોદી સાંજે 5 વાગ્યે જયપુર ભાજપ હેડક્વાર્ટર પહોંચવાના છે. પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકને લઈને સુરક્ષા એજન્સી પણ સતર્ક છે. એસપીજીએ બીજેપી હેડક્વાર્ટરની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું અને આ દરમિયાન રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું.

  1. YS Sharmila: વાય.એસ. શર્મિલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં કર્યો વિલય, પોતે પણ જોડાયા કોંગ્રેસમાં
  2. અમિત શાહ લખનઉ આવશે, લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રિપોર્ટ કાર્ડની કરશે સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details