ETV Bharat / bharat

YS Sharmila: વાય.એસ. શર્મિલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં કર્યો વિલય, પોતે પણ જોડાયા કોંગ્રેસમાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 11:24 AM IST

Updated : Jan 4, 2024, 12:31 PM IST

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહનના બેન અને YSRTP ના અધ્યક્ષ વાય.એસ શર્મિલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા અને પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો.

વાય.એસ. શર્મિલા કોંગ્રેસમાં જોડાયા
વાય.એસ. શર્મિલા કોંગ્રેસમાં જોડાયા

YSRTP ના અધ્યક્ષ વાય.એસ શર્મિલા કોંગ્રેસમાં જોડાયા

હૈદરાબાદ: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહનના બેન અને YSRTPના અધ્યક્ષ વાય.એસ શર્મિલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા અને પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો, જ્યારે રાહુલ ગાંધીએ ફુલોનો ગુલદસ્તો આપીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું.

  • #WATCH | YS Sharmila merges YSR Telangana Party with Congress

    "Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India and built foundations of our nation..." pic.twitter.com/lk6hlGdZBq

    — ANI (@ANI) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વાય.એસ. શર્મિલાએ ગઈકાલે ઇદુપુલાપાયની પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી તે ફક્ત કોંગ્રેસના નેતૃત્વ વિશે વિચારી રહ્યાં છે. તેલંગાણામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, વાયએસ શર્મિલાએ સતત કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, "હું કોંગ્રેસ પાર્ટીને ટેકો આપી રહી છું કારણ કે આ તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી પ્રચંડ જીતની એક તક છે. કેસીઆરએ તેમના 9-કાયદામાં લોકોને આપેલા કોઈપણ વચનને પૂર્ણ કર્યા નથી એજ કારણ છે કે, હું કેસીઆરને ઇચ્છતી ન્હોતી કે તેઓ ફરી વખત સત્તામાં આવે. મહત્વપૂર્ણ છે કે, હાલમાં જ યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં 64 બેઠકો પર કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે.

એવી પણ અટકળો લગાવાઈ રહી છે કે, વાય.એસ.શર્મિલાને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો હોદ્દો પણ મળી શકે છે. આંધ્રપ્રદેશની ચૂંટણીમાં પણ શર્મિલાની મહત્વની ભૂમિકા રહેવાની શક્યતા છે, કોંગ્રેસે પ્રથમ વખત તેલંગાણામાં સંપૂર્ણ બહુમતી મેળવી, કોંગ્રેસ તેલંગાણા વિધાનસભાની 119 માંથી 64 બેઠકો જીતી છે. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ 38 બેઠકો જીતી હતી.

  1. Tejashwi yadav: રામ મંદિર મોદીજીની જરૂરિયાત છે, રામ ઈચ્છતા હોત તો મંદિર ન બનાવી લેત ? તેજસ્વી યાદવ
  2. અમિત શાહ લખનઉ આવશે, લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રિપોર્ટ કાર્ડની કરશે સમીક્ષા
Last Updated :Jan 4, 2024, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.