ગુજરાત

gujarat

આજે મુખ્યપ્રધાન કરશે વલસાડના કલગામમાં સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન. ETV Bharatના ટોપ ન્યૂઝ વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Aug 14, 2021, 6:30 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

New scraping policy
New scraping policy

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. મુખ્યપ્રધાન કરશે વલસાડના કલગામમાં 4 હેક્ટરમાં બનેલા સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન

વલસાડ જિલ્લાનું કલગામ રાયણીવાળા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે. આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન કરવા આવશે. તો આવો જાણીએ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનનારા સાંસ્કૃતિક વન અંગે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. વિશ્વ અંગદાન દિવસ 2021: ભારતમાં અંગ પ્રત્યારોપણની વાટ જોતાં લાખો દર્દીઓ

તબીબીક્ષેત્રમાં પ્રગતિ એવી હકીકત બની છે કે આજે એક વ્યક્તિ દ્વારા દાન કરાયેલું અંગ બીજા માટે જીવનનું કારણ બને છે. આ એક જટિલ પ્રક્રિયા હોવા છતાં સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિ વિશે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી આરોગ્યના કારણોસર જીવનની આશા ગુમાવનારા લોકોને જીવવા માટે બીજી તક મળે. click here

2. નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત ઇન્વેસ્ટર સમિટને સંબોધી હતી. આ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો હતો, આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari) અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Rupani) પણ હાજર રહ્યા હતા. click here

Explainers :

સ્ક્રેપ પોલિસી: જૂના વાહનોને ભંગાર જાહેર કરવા પર તેના માલિકને કેટલો ફાયદો થશે?

ગુજરાતના ઇન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ નેશનલ સ્ક્રેપ પોલિસી (Scrap Policy) લોન્ચ કરી હતી. હવે જાણો જૂના વાહનોનું શું થશે? શું ભંગારમાં જનારી કાર તેના માલિકને ફાયદો કરશે? click here

Exclusive:

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પગે લાગ્યા

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) માં શુક્રવારે નવા મ્યુઝિયમનું શિક્ષણપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતાની ગાડીમાંથી ઉતરતા હતા, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા (Himanshu Pandya) શિક્ષણપ્રધાનને પગે લાગ્યા હતા. આ જોઈને ત્યાં હાજર અનેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. click here

ABOUT THE AUTHOR

...view details