ગુજરાત

gujarat

કોરોના રસી: ભારતને ટૂંક સમયમાં મળશે સિંગલ ડોઝ રસી

By

Published : Sep 10, 2021, 10:54 AM IST

ક્લિનિકલ સ્ટડીઝ મુજબ, જોનસન એન્ડ જોનસન રસી (Johnson & Johnson’s) લગભગ 85 ટકા અસરકારક છે. રસી લીધાના 28 દિવસ પછી, હોસ્પિટલમાં દાખલ થવાની અથવા મૃત્યુની ઓછા કેસ સામે આવ્યા છે.

કોરોના રસી: ભારતને ટૂંક સમયમાં મળશે સિંગલ ડોઝ રસી
કોરોના રસી: ભારતને ટૂંક સમયમાં મળશે સિંગલ ડોઝ રસી

  • આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે (single shot vaccine)
  • આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલીની લેબમાં આવશે
  • જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની એક ડોઝ વાળી આ રસીને તૈયારી કરી

ન્યૂઝ ડેસ્ક : આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે. જાણકારી મળી છે કે આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલી સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળાએ પહોંચી જશે. આ બેચને કસૌલી અને પૂણે સ્થિત બન્ને અલગ અલગ પ્રયોગશાળામાં તપાસવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે બાદ આ રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે કરાર થયો

જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની (Johnson & Johnson’s) એક ડોઝ વાળી આ રસીને તૈયારી કરી છે. હાલમાં જ ભારત સરકાર કંપનીને ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. હાલમાં કંપનીને રસીની આયાત કરવાની પરવાનગી મળી છે. પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે થેયેલા કરાર અંતર્ગત આગામી દિવસોમાં આનું ઘરેલુ ઉત્પાદન પણ શરુ થઈ જશે.

આ પણ વાંચો : આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી

ઘરેલુ પ્રોડ્સન માટે ફરી લેવી પડશે પરવાનગી

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જોનસન એન્ડ જોનસનને ઘરેલુ ઉત્પાદન માટે ફરીથી પરવાનગી લેવી પડશે આ રસીનો એક ડોઝ પુરતો છે અને આની પહેલી બેચ આવતા એક અઠવાડિયાની અંદર પણ ભારત આવી શકે છે. જણાવ્યું કે હાલમાં જ રસીના ટેસ્ટ માટે પૂણે સ્થિત લેબને માન્યતા આપવામાં આવી છે. દેશમાં ત્રણ લેબમાં આ સુવિધા છે.

આ પણ વાંચો : ચાલુ ટ્રેને કોઈ સામેથી મદદ કરવા આવે તો ચેતી જજો, રેલવે પોલીસે સાંસી ગેંગના એક સાગરિતની ધરપકડ કરી

સ્કૂલો ખોલવા માટે બાળકોનું રસીકરણ જરુરી નથી

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે સ્કુલો ખોલવા માટે બાળકોનું રસીતરણ થવું જરુરી નથી. દુનિયાના કોઈ પણ દેશમાં આવું નથી થયું. સ્કૂલો ખોલવાને લઈને બાળકો માટે કોઈ શરત નહીં હોય. બાળકોની જગ્યાએ સ્કૂલ સ્ટાફનું રસીકરણ થવું જરુરી છે.

ABOUT THE AUTHOR

...view details